SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ સમવાય કારણ અને ચાર સાધના કારણ .. (Events) અને માં નથી. પર બનતા હવે આપણે આ પાંચ કારણથી નિષ્પન્ન થતી સાધના વિષે વિચારીશું. ભવિતવ્યતામાં આપણે પરાધીન છીએ. ભાવમાં આપણે સ્વાધીન છીએ. બહાર બનતા બનાવે (Events) આપણું વશમાં કે આપણું કાબુમાં નથી. પરંતુ ઘટતી તે ઘટનાઓ ઉપર યા તો બનતા તે બનાવો ઉપર ભાવ (feelings) કેવાં કરવાં, કે ભાવ. કેવાં રાખવા અને તે ભાવ કેમ જાળવવા તે આપણું હાથની વાત. છે. એ જ આપણું વશમાં છે અને તે જ આપણે પુરુષાર્થ છે. એ જ પ્રમાણે બહારની સંપત્તિ તથા પ્રકારનાં કર્મના વિષાકેદયે મળવી તે પ્રારબ્ધ છે. જ્યારે આપણે આપણું આત્માને નિરાવરણ (કમરહિત) કરવો તે આપણે પુરુષાર્થ છે. પ્રાપ્ત સમય-સંપત્તિશક્તિ-સાધનાદિને આમનિસ્તાર કાજે સદુપયોગ કરે તે જીવને –આત્માને પુરુષાર્થ છે. પરિણામ જે આવે તે પ્રારબ્ધ અર્થાત્ ભવિતવ્યતા પ્રમાણે છે. આપણી ઈચ્છા, બુદ્ધિ, ક્રિયા, ભાવ એ પુરુષાર્થ છે. આવી મળવું તે પ્રારબ્ધ છે. જે અક્રિયતા છે. જ્યારે પ્રયત્નપૂર્વક ઈચ્છા પ્રમાણેનું મેળવવું તે પુરુષાર્થ છે જે સક્રિયતા છે. પ્રારબ્ધ ઉપર’ વસ્તુના સંબંધે છે અને તેથી પરાધીન છે. “પર” વસ્તુ મળે પણ ખરી અને ન પણ મળે. કમને ઉદય છે તે પ્રારબ્ધ છે. ભાવમાં પરિવર્તન કરવું તે પુરુષાર્થ છે. ધ નીપજવાને સંયોગો નિર્માણ થવા તે પ્રારબ્ધ છે. જ્યારે ક્રોધના સંયોગોમાં શાંત રહી ક્ષમાભાવ ધારણ કરે તે પુરુષાર્થ છે, કારણ કે કર્મને ઉદય છે પણ ભાવને ઉદય નથી. ભાવ તો કરવાના છે. ભાવવાના છે. ભગવાને (સર્વજ્ઞ પ્રભુએ) જોયું છે તેવું થવાનું છે તે પ્રારબ્ધ છે. પરંતુ તે છતાં ય એ સર્વજ્ઞ પ્રભુ-વીતરાગ જિનેશ્વર ભગવંત એમની જિનવાણીનું શ્રવણ કરાવે છે એટલે કે ઉપદેશ-અર્થાત્ દેશના આપે છે, કારણ કે આપણે સહુમાં પુરુષાર્થની શક્તિ છે–ઉદ્યમ છે, વિર્ય ફોરવવાની આંતરિક શક્તિ છે, તાકાત છે.. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.014003
Book TitleJain Sahitya Samaroha Guchha 3
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMahavir Jain Vidyalay
Publication Year1995
Total Pages295
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy