SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ બાહ્ય પૌદગલિક કર્મના સંબંધથી ભવસંસારમાં ભટકતા એવા . પિતાના આત્માને તેમાંથી મુક્ત કરવા માટે વિધિપૂર્વક તેને ત્યાગ કરે છે. તેઓને જ વૈરાગ્ય જ્ઞાનગર્ભિત અને સિદ્ધિનું અનન્ય સાધન બને છે” અનેકાંત સંસ્કારો વડે બુદ્ધિ પરિકમિત થાય છે ત્યારે બૌદ્ધિક જ્ઞાન આત્મસ્પર્શ થાય છે અને વસ્તુસ્વરૂપનું અને કાત્મ યથાર્થ જ્ઞાન થાય છે. આ જ જ્ઞાન સમ્યફજ્ઞાન છે જે પરંપરાએ એક્ષપ્રાપક છે. કરે છે? મિ. સાહસ, રહ્યાં છેપરિવર્તન દાર્શનિક વિસંવાદનું કારણ અને તેનું નિરાકરણ આ દશ્ય જગતની પ્રત્યક્ષ જણાતી ચિત્રવિચિત્રતાઓના ગર્ભમાં મૂળભૂત કયાં તો કાર્ય કરી રહ્યાં છે? તે તો કયાં છે ? તેઓનું કાર્ય શું છે? તેમને સ્વભાવ કે છે? નિરંતર પરિવર્તન કરી રહેલી વિશ્વની પરિવર્તનશીલતાની પાછળ ક્યાં પરિબળ કાર્ય કરી રહ્યાં છે? જીવનું તાત્વિક સ્વરૂપ શું છે? સુખને ચાહક છતાં તે દુઃખી કેમ છે? તેના દુઃખનું કારણ શું છે? તે દુખથી સર્વથા મુક્ત થઈ શકે કે નહિ? જે થઈ શકે તે તેને ઇબ્રજ શું? વિશ્વતંત્ર નિયમિત છે ? જે તે નિયમિત છે તે તેને કઈ નિયંતા છે કે પછી તે સ્વભાવથી જ નિયમબદ્ધ છે? આ અને આવી વિશ્વસ્વરૂપ સંબંધી અનેક સમસ્યાઓની તલસ્પર્શી વિચારણા ભારતના અનેક મહાત્માઓએ કરી છે અને તેના ફળરૂપે આ દેશમાં અનેક દર્શનધારાઓને પ્રાદુર્ભાવ થયો છે. પરંતુ પ્રશ્ન એ થાય છે કે એક જ વસ્તુના સ્વરૂપ સંબંધી બધાં દર્શનમાં એકવાકયના કેમ નથી ? વળી સર્વ દશનકાએ પોતપોતાના દાશક્તિક સિબતે દાખલા-દલીલ સાથે તર્કબદ્ધ શૈલીમાં રજુ કર્યા છે. અન્યોન્ય શબની શુટિઓ પણ તર્કબદ્ધ દલીલ સાથે દર્શાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy