SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨. જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ न हि नूण पुरा अणुस्सुयं अदुवा तं तहनो समुट्ठियं । मुणिणा सामाइ आहियं नाहण जगसव्वदंसिणा ॥ ( –૨–૨–૨૨) અહિંસા વિષે તે આચારાંગ અને સૂત્રકૃતાંગ બંનેમાં અનેક અરિહંતાએ ઉપદેશ આપ્યાની વાત કરવામાં આવી છે પરંતુ અહીં તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરે જ સર્વપ્રથમ સામાયિકને ઉપદેશ આપ્યો છે એટલે વ્રતમાં દીક્ષિતને અપાતું સામાયિક વ્રત એ ભગવાન મહાવીરથી શરૂ થયું હોય એવું અનુમાન સહેજે કરી શકાય છે. જૈન દર્શનના આ આદિકાળમાં જૈન પુરાણે અને પછીનાં જૈન આગમોમાં જે પ્રકારની તીર્થકર ચક્રવર્તી બળદેવ-વાસુદેવ, ઉત્સર્પિણ-અવસર્પિણ અને ભૂગોળની વ્યવસ્થા દેખાય છે તેમાંનું કશું જ નથી. તીર્થંકર, શબ્દ પ્રયોગ મળે છે અને અરિહંત અનેક છે એમ જણાય. છે. પણ તે તે કાળગત નિશ્ચિત સંખ્યાની કોઈ સૂચના નથી. એમ કહી શકાય કે આ આદિકાળમાં શ્રમણના અચાર વિષે જે જરૂરી હતું તે વિસ્તારથી કહેવાયું છે. અને ગૃહસ્થાશ્રમની તો નિંદા જ થઈ છે. સંધવ્યવરથા કે સંધમાં શ્રમણોપાસકનું યોગ્ય સ્થાન એ તે આ પછીના ભવિષ્યકાળની વ્યવસ્થા છે જે માટે આ પછીનાં આગમ જરૂરી સામગ્રી પૂરી પાડે છે. Jain Education International For Private & Personal Use Only . www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy