SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દાર્શનિક વિચારણને આદિકાળ - ૩૩ એટલે વલભીમાં કયાં આગ લખાયાં એ પ્રશ્ન અણુ-ઊક જ માનવે જોઈએ. - આમ છતાં જે તે આગમોને સમય તે તે આગમોની ભાષા અને પ્રતિપાદિત વિષયને વિશેષ અભ્યાસ કરવામાં આવે તો પૂર્વાપર ભાવ નક્કી થઈ શકે છે અને આવો પ્રયતન વિદ્વાનોએ કર્યો પણ છે અને એવા સામાન્ય નિર્ણય ઉપર આવ્યા છે કે આગામોમાં સૌથી પ્રાચીન આચારાંગ પ્રથમ શ્રુતસ્કંધ છે અને તે પછી સૂત્રકૃતાંગ પ્રથમ સ્કંધનું સ્થાન આવે છે અને તેમને સમયે ભગવાન મહાવીરથી બહુ દૂર નથી. ઈ. પૂ. તીનશતીથી મડે એને સમય માનવાને કોઈ કારણ નથી. આચારાંગના પ્રથમ શ્રુતસ્કંધમાં જૈન દર્શન એટલે જૈન દર્શનની સ્થિતિ આ બંનેમાં કેવી છે તે જે જાણીએ તો જૈન દર્શનનું પ્રાચીનતમ રૂપ આપણી સમક્ષ આવે તેમ કહી શકાય. તત્ત્વાર્થસૂત્ર જે આચાર્ય ઉમાસ્વાતિએ ઈ. સ. એથી-પાંચમી આસપાસ લખ્યું તેમાં જૈન દર્શનની તે કાળ સુધીની વિકસિત વિચારણું સુનિશ્ચિત રૂપે આપવામાં આવી છે એટલે તે કાળની વિચારણામાં આવતા પ્રમાણ-પ્રમેય વિષે આચારાંગમાં શે નિર્દેશ મળે છે તે જોવું પ્રાપ્ત થાય છે. પ્રમેયની વિચારણામાં આચારાંગમાં જજીવ નિકાયની પ્રરૂપણું મુખ્ય ભાગ ભજવે છે. જ્યારે તત્વાર્થમાં પંચાસ્તિકાય કે ષડદ્રવ્ય વિચારણું સ્પષ્ટ છે. આથી કહી શકાય કે તે કાળે ષકો વિષે કેઈ વિશેષ વિચારણા થઈ હોય એમ લાગતું નથી. કદ્રવ્યની સ્પષ્ટ વિચારણું જૈન દર્શનમાં કાળક્રમે આવી હશે એમ કહી શકાય. જે-8 - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy