________________
જેન સાહિત્ય સમારેહ– ૭
ધન, સત્તા, કીર્તિ માટે માણેસ જીવનભર વેલમાં મારે છે. પણ તે સાથે જાણે છે અને અનુભવે છે કે તેમાં સાચું સુખ કે શાન્તિ નથી. કેટલાંક મૂલ્યો એવાં છે જેને માટે માણસ પિતાના સર્વસ્વનું, પોતાને પ્રાણનું પશુ બલિદાન આપવા તૈયાર થાય છે અને તેમાં પોતાનું શ્રેય માને છે, ધન્યતા અનુભવે છે. સત્યને ખાતર, ધર્મને ખાતર, દેશને ખાતર, કુટુંબ માટે કે બીજા એવા મહાન ! આદર્શ માટે માણસ ત્યાગ કરવા તૈયાર થાય છે. એક રીતે જોઈએ તો નાનામાં નાને ગરીબ માણસ પણ પ્રતિક્ષણ કાંઈ ને કાંઈ ત્યાગ કરતા હોય છે. ગરીબ માતા ભૂખી રહી બાળકને ખવડાવશે. સામાન્ય માણસ પણ સગાસંબંધીની કે પડોશીની થોડીઘણી સેવા કરતો હશે, તેને માટે કાંઈક ત્યાગ કરતો હશે.
તે પ્રશ્ન થાય કે જીવનનું ધ્યેય, અંતિમ લક્ષ્ય શું છે અને તે લક્ષ્ય પ્રાપ્ત કરવાનું સાધન શું છે. સદાચાર, જીવનનું અંતિમ લક્ષ્ય પણ બને અને સાધન પણ બને. અહીંયાં સાધ્ય-સાધનની એકતા થાય છે.
- સ્વ. ચીમનલાલ ચકુભાઈ શાહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org