SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્ય ડો. ભગવાનદાસ મનસુખભાઈ મહેતા ' ' . અહિંસાને મહામંત્ર છે જેણે જગતમાં “અમારિ ને કે વગવડાવે, તે “કલિકાલસર્વજ્ઞ” શ્રી હેમચંદ્રાચાર્યને દયામય વીતરાગધર્મની પ્રભાવનામાં અનન્ય ફાળે છે. આ મહા જ્યતિ-ધંરની અસાધારણ પ્રતિભાથી અંજાયેલા મહારાજા સિદ્ધરાજ જયંસિહ તેમને ગુજરાતનું ગૌરવ ગણું સન્માનતા અને મહારાજા કુમારપાળ તો તેમના આજ્ઞાંકિત શિષ્ય બની, દયામય વીતરાગધર્મને કેવા પ્રભાવક પરમહંત થયા તે હકીકત ઈતિહાસપ્રસિદ્ધ છે. આ મહા તિર્ધરનો જન્મ ધંધુકામાં મોઢ વણિક ચાચિંગની ગૃહિણું પાહિણીની કુક્ષિએ સં. ૧૧૪૫ ના કાર્તિકી પૂર્ણિમાના પુણ્યદિને થે. એમનું નામ ચાંગદેવ પાડવામાં આવ્યું. લઘુ વયમાં જ અસાધારણ બુદ્ધિચાપલ્ય દાખવનાર આ તેજસ્વી બાલક શ્રી દેવચંદ્રસૂરિના દષ્ટિપથે પડતાં, તેનામાં તેમણે મહાન શાસનપ્રભાવક થાય એવાં લક્ષણ દીઠાં. એટલે લધુ વયમાં દીક્ષા પ્રાયઃ ઉચિત નહિ છતાં, આવા કોઈ વિરલા અસાધારણ પાત્રના અપવાદવિશેષે શાસનપ્રભાવનાને હેતુ જાણી, તેમણે પાહિણુ પાસે તે બાલકની ભિક્ષા માગી અને પાહિણુએ તે ભક્તિથી આપી. આમ સં. ૧૧૫૪ની સાલમાં નવ વર્ષની વયે ચાંગદેવ દીક્ષિત થઈ મુનિ સેમચંદ્ર થયે, અને સ્વ૯૫ સમયમાં સર્વ અંગમસાહિત્યમાં પારગત થઈ સત્તર વર્ષની વયે આચાર્ય હેમચંદ્ર બન્યું. શાસન જે-૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy