SearchBrowseAboutContactDonate
Page Preview
Page 337
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ૨ ચુનીલાલ મડિયાએ “સમ્રાટ શ્રેણિક” જેવું ધર્મ અને સાહિત્યને ઉત્તમ રીતે સર્જનાત્મક તટસ્થતાથી ન્યાય આપતું એકાંકી લખ્યું છે. એવી વધુ કૃતિઓ સજાય તે માટે વાતાવરણનું નિર્માણ કરવું જોઈએ, - પાલિતાણું કે સમેતશિખર વિશે એકાદ સજનાત્મક પ્રવાસનિબંધ પણ કયાં મળે છે ? “વિદિશા ફેઈમ” ભેળાભાઈ પટેલનું સ્મરણ તરત થાય છે! “સંદેશ” સાપ્તાહિકમાં પરિભ્રમણ” કૅલમમાં ભોળાભાઈએ “મહાતીર્થ શત્રુંજય” વિશે સુંદર રીતે લખ્યું છે. . હરીન્દ્ર દવે “માધવ કયાંય નથી” કે “કૃષ્ણ અને માનવસંબંધ” લખે પણ “મહાવીર અને માનવસંબંધ” લખવા કોઈ સજક તૈયાર કરવો પડે એવું નથી લાગતું ? કદાચ કઈ હામ ભીડે તો એને આવકાર મળે ખરો ? કાવ્ય, જીવનચરિત્ર, લલિતનિબંધો બધાં ક્ષેત્રોમાં આજના સજાત સાહિત્યમાં જૈન ધર્મ આવે છે પણ ભાષાસાહિત્યના કસબથી અજાણ એવા લેકે આ કરી રહ્યા છે. સર્જકના શબ્દ વગર નર્યા ધર્મવચને, શાસ્ત્રચર્ચા કે ગંભીર લેખ માટે બરોબર છે, સાહિત્ય માટે નહિ. આજે સાંપ્રદાયિક, ધાર્મિક-તાત્વિક સાહિત્ય ઘણું લખાય છે પણ એમાં સાહિત્યસૂઝને અભાવ વિશેષ દેખાય છે. ભાષાને સમર્થ ઉપગ નથી થતા. ખરેખર તે સાહિત્યનાં વધુ ને વધુ સ્વરૂપોને ઉપયોગ કરી આજની પ્રજા સુધી પહોંચે એ રીતે જૈનધર્મને મૂકવા જેવો છે. જયભિખુ, ચુનીલાલ વર્ધમાન શાહ અને રતિલાલ દીપચંદ દેસાઈની સાહિત્યસેવાઓ નેંધપાત્ર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy