SearchBrowseAboutContactDonate
Page Preview
Page 323
Loading...
Download File
Download File
Page Text
________________ ૩જ જૈન સાહિત્ય સમારોહ -ગુરછ ૨ અનેક પ્રયત્નો છતાં પાછી નોકરી મળી નહિ... અને છેવટે હતાશાની અંતિમ ક્ષણે એણે યોજના પૂર્વક સામી છાતીએ બે ઉપરી અધિકારીઓનાં ખૂન કરી નાખ્યાં...! એના પર કેસ ચાયા...કેસમાં મનસ્વિફ્ટોએ જુબાની આપી કે સતત વાસી ખોરાક – જેકફૂડ ખાવાથી હિંસકવૃત્તિ ભડકી ઉઠે છે અને માનવી હત્યા પણ કરી બેસે છે. કોટે આ નિષ્ણાતોની જુબાનીના આધારે એને નિર્દોષ છોડી મૂકયો. - રાત્રિભોજન-નિષેધ, સાત્વિક આહાર લે, અભક્ષ્ય આહાર શરાબ અને માંસાહારને નિષેધ, ઉચિત આહાર પણ પેટ ભરીને ન લે. ભૂખ કરતાં થોડુંક ઓછું ખાવું... પેટને એક ખૂણે ખાલી રાખો. ઉદરી.. જેને માથે તપમાં અક્ષશન પછી પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ગાંધીજીએ છેલાં ચાલીસ વર્ષ રાત્રિભોજનને ત્યાગ કર્યો હતો. એ તમામ આચારધમેં શારીરિક અને માનસિક સ્વસ્થતાને પિષણ આપે છે, અને માનવીને હિંસક વૃત્તિથી દૂર રાખે છે. માંસાહાર–નિષેધ : જેન ધર્મે ખૂબ દઢતા અને મક્કમતાથી માંસાહારને સર્વથા. નિષેધ કર્યો છે. માનવી શાકાહારી પ્રાણી છે. એની શરીરરચના શાકાહારને અનુકૂળ છે. એની પ્રકૃતિ માંસાહારથી વિરુદ્ધ છે. પ્રાણીસૃષ્ટિના વિશાળકાય પ્રાણુઓ – હાથી, હિપોપોટેમસ, ગંડે, જિરાફ તેમજ ગાય, ભેંસ વગેરે તમામ શાકાહારી છે. માંસાહારી પશુઓ જેવાં કે સિંહ, વાઘ, કૂતરો, બિલાડી વગેરેનાં નખ, દાંત તેમજ જડબાંની સ્યના માંસાહારને અનુરૂપ હોય છે. એમનાં જડબાં લાંબાં હોય છે, જ્યારે શાકાહારી પ્રાણુનાં જડબાં ગોળાઈવાળાં હોય છે. અને એમને પરસેવો થાય છે. માંશાહારી પ્રાણીઓને નહીં. . માંસાહારી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy