SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ ગૌતમસ્વામી ૨૭૯ અને પ્રેમભરી વાણીમાં, તેમને નામથી સંબધાને આવકાર્યા. એથી ઇન્દ્રભૂતિને આશ્ચર્ય થયું. વળી ભગવાને કહ્યું: “હે ઇન્દ્રભૂતિ તમારા મનમાં શંકા છે કે જીવનું અસ્તિત્વ છે કે નહિ.” આ સાંભળી ઇન્દ્રભૂતિ વિચારમાં પડ્યા. તેમને થયું કે મેં મારા મનની શંકા કોઈને કહી નથી, તે આમને ક્યાંથી ખબર ?” ભગવાનની આ શક્તિ, આ જ્ઞાન અને વાત્સલ્યભર્યું વલણ જોઈ ઇન્દ્રભૂતિનું અભિમાન ઓગળવા લાગ્યું. ભગવાને મધુર વાણુથી અને દષ્ટાંતો આપીને ઇન્દ્રભૂતિની શંકાનું નિવારણ કર્યું. તેમણે કહ્યું કે “હે ઇન્દ્રભૂતિ ! તમારા મનમાં શંકા છે કે જીવ પ્રત્યક્ષ પ્રમાણથી સાબિત થઈ શકે તેમ નથી. વળી જવ વર્ણ, રૂપ, સ્પર્શ, ગંધ, સ્વાદરહિત છે. તેથી ઈન્દ્રિયગ્રાહ્ય પણ નથી એટલે કે ઈન્દ્રિયોથી તેને અનુભવી શકાતો નથી પરંતુ, હે ગૌતમ ! નજરે વસ્તુ જોઈ શકાય નહિ અથવા પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થઈ શકે નહિ તેથી તેનું અસ્તિત્વ જ નથી એમ કહી શકાય નહિ.” ' વળી ભગવાને કહ્યું, હે ઇન્દ્રભૂતિ ગૌતમ ! સંશવિજ્ઞાનથી આત્માની સાબિતી થઈ શકે છે. જગતમાં બે પ્રકારના પદાર્થો છે એક જડ અને બીજે ચેતન શંકા કે સંશય થવાં, પ્રશ્નો થવા, સમજ પડવી, વિચાર આવવા તે જડને નહિ પરંતુ ચેતનને ગુણ છે. આત્મા ચેતન તત્વ છે તેથી જ્ઞાન આત્માથી અલગ નથી. તેથી જ જૈનદર્શન આત્માને જ્ઞાનમય, વિજ્ઞાનમય માને છે. જ્ઞાન એ જ આત્મા છે. જેને જ્ઞાન પ્રાપ્ત થયું હોય તે તેના કાર્યથી, ચારિત્ર્યથી દેખાઈ આવે છે. વ્યક્તિ જ્ઞાની હેય તો જેનારને તેની સમજ પડે છે. તેથી જેને જ્ઞાન થાય છે તેણે આત્માને સ્વીકાર પણ કરવો જોઈએ.” હે ગૌતમ ! અહં–પ્રત્યયથી જીવ પ્રત્યક્ષ છે. ત્રણે કાળની પ્રતીતિ શરીરને નહિ, પરંતુ મુખ્યત્વે આત્માને થાય છે. હું ગયો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy