SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ Mાપુરારિ' : એક અભ્યાસ ૨૩૫ કુમારના ચિત્તમાં પણ પૂર્વભવને સ્નેહ જાગ્રત થતાં બંને યથેચ્છ રીતે સમય પસાર કરવા લાગ્યાં. રાજકુમાર દુલભનાં માતાપિતાએ કુમારની શોધખોળ આદરી. પણ કંઈ પરિણામ આવ્યું નહિ કેવલી મુનિને પૂછવાથી બધી વાતથી વાકેફ થયા પછી તેઓએ મુનિ પાસેથી આરિત્ર લીધું અને ભવિષ્યમાં ચોક્કસ થનારા પુત્ર-મિલનના પ્રસંગની રાહ જોવા લાગ્યાં. વિહાર કરતાં કરતાં કેવલી સુલોચન મુનિ તે જ ઉદ્યાનમાં. પાછા ફર્યા. યક્ષિણીએ અવધિજ્ઞાનથી જાણ્યું કે કુમારનો અંત નજીક છે તેથી તેનું આયુષ્ય સાંધવાને ઉપાય પૂછવા તે કેવલી. મુનિ પાસે આવી. એ ઉપાય મળવો અસંભવિત છે એમ જાણ્યા બાદ તે ખૂબ જ ખેદ પામી અને જલબિન્દુ સમ અસાર સંસારનું મમત્વ નકામું છે એમ ખ તરી થતાં યક્ષિણ કુમારને તે કેવલી પાસે લાવી ત્યાં તેનાં પુત્રવિરહથી વિવળ માતા-પિતાને કુમારફરીથી મળે અને એ પ્રસંગે મુનિ મહારાજે મનુષ્યજીવનની દુર્લભતા સમજાવતી એક કથા કહી. તે કથામાં, રત્નપરીક્ષા ગ્રંથને અભ્યાસ કરનાર એક કળાકુશળ વેપારી મહામહેનતે પ્રાપ્ત થયેલ ચિતામણિ રત્નને સમુદ્રમાં પ્રમાદને કારણે ગુમાવે છે એમજણાવી માનવજીવનને અનેક મુશ્કેલીઓ બાદ મેળવ્યા પછી પ્રમાદ ન કરવો જોઈએ એમ ભારપૂર્વક બંધ આંખે, આ દેશના સાંભળ્યા બાદ યક્ષિણીને સમ્યક્ત્વ પ્રાપ્ત થયું, તે ચવીને વૈશાલીના ભ્રમર. - રાજાની સત્યશીલ સંપન્ન કમળા નામે પત્ની થઈ. ભ્રમર અને કમળા જૈન ધર્મનું પાલન કરતાં કરતાં શુભ અધ્યવસાયપૂર્વક દેવગતિને પામ્યાં. કોણ, કુમા અને દુર્લભ મૃત્યુ પછી મહાશુક્ર દેવલોકમાં મંદિર વિમાનમાં જન્મ્યાં, ત્યાં દેવનું આયુષ્ય પૂરું કરી પુણ્યશાળી દુર્લભ રાજકુમારને જીવ રાજગૃહના રાજા મહેન્દ્રસિહની રાણી કુમ્માની. મુખમાં ઊતરી આવ્યા.રાણી છું અમાએ યોગ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy