SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ વિરલ પ્રતિભા : શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ૨૭ who happen to belong to their religion or to their country ?' શિકાગાની આ વિશ્વધર્મ પરિષદમાં વીરચ`દભાઈએ જૈન ધર્માંની સક્ષિપ્ત પણ સચોટ રજૂઆત કરી. એમણે જૈન ધર્મને એ ભાગમાં સમજાવ્યો : એક જૈન તત્ત્વજ્ઞાન અને બીજો ભાગ તે જૈન નીતિ, નવ તત્ત્વ, છ પ્રકારના જીવા, દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નય સૌંબંધી જૈનદનની સૂક્ષ્મ વિચારસરણી, સ્યાદ્વાદ વગેરે તત્ત્વજ્ઞાનની ખાખતા રજૂ કરીને સહુને મુગ્ધ કર્યાં, જૈન ચારની વિશેષતા સમજાવી જૈન નીતિની ચર્ચા કરી. વિશ્વના અસ્તિત્વને લગતા પ્રશ્નની તુલનાત્મક ચર્ચા કરતી વખતે એમણે બૌદ્ધ ધમ અને અન્ય ધર્મો સાથે તુલનાત્મક ગવેષણા કરી, જૈન ધર્મ બૌદ્ધ ધર્મ થી.. પ્રાચીન છે એ તથ્યનુ પ્રતિપાદન કર્યું.. આ બધાંને પરિણામે જૈન શ્વમ એ એક પ્રમાણુયુક્ત અને બુદ્ધિવાદી ધ પ્રણાલી છે એવુ સત્ય સહુને સ્વીકારવા જેવું લાગ્યું. આ નવીત સમજ અંગેના આનંદ પ્રગટ કરતાં એક અમેરિકને વીરચંદભાઈ વિશે એવા અભિપ્રાય આપ્યા કે ધર્માંની લેાકસભામાં અનેક તત્ત્વચિંતા, ધર્મોપદેશકે અને વિદ્યાના હિંદુસ્તાનથી આવીને ખેાલી ગયા અને તે દરેકે કાંઈ ને કાંઈ નવી દષ્ટિ રજૂ કરી, ધર્માંના આ મિલનમાં નવું તત્ત્વ ઉમેરતા ગયા, જેથી તે દરેકના ધમ જ્ગતના માટા ધર્મોની હરોળમાંના એક છે એવુ' લાગ્યા વગર રહે નહિ. ઉપરાંત એમની વાર્ષ્યા અને એમને શક્તિભાવ પણ વિશિષ્ટ પ્રકારનાં માલૂમ પડયાં. એમાંથી ભારાભાર પાંડિત્ય અને ચિંતન-મનન સાંપડયાં, તેમ છતાં એ બધાંમાંથી તરી આવતા જૈન ધર્મના એક યુવાન ગૃહરથને સાંભળવાથી નીતિ અને ફિલસૂફીની નવા પ્રકારની ભાળ લાગી. આમ તા તે માત્ર ગૃહત્ય કુટુંબના સજ્જન છે, કાઈ સાધુ-મુનિ કે ધર્માચાર્ય નીં, છતાં આટલું સરસ પ્રતિપાદન કરી શકે છે ત્યારે એમના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy