SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૦ જૈન સાહિત્ય સમારોહ – ગુચ્છ ર વિદ્યાધરીઓની આ આકૃતિઓ મને હારી છે. આ રંગમંડપની સમસ્ત રચના અને કોતરકામ જોતાં જાણે કે દિવ્યલોકમાં આવી પહોંચ્યાં હોઈએ તેવો ભાસ થાય છે. રંગશાળાથી આગળ નવચોકી, છે જેની છતને ભાગ નવ વિભાગોમાં વહેંચી દેવામાં આવ્યું છે અને તેને કારણે તેનું નામ નવચોકી પાડવામાં આવ્યું છે. તેની આગળ ગૂઢમંડપ છે. અહીંથી મુખ્ય પ્રતિમાના દર્શન થાય છે. તેની આગળ મૂળ ગર્ભગૃહ છે તેમાં ઋષભનાથની ધાતુપ્રતિમા બિરાજમાન છે. આ મંદિરની આગળ લૂણાવસહી છે. તેના મૂળ નાયકના નામ પરથી નેમીનાથ મંદિર કહેવાય છે. તેનું નિર્માણ વાઘેલા વંશના રાજા વીરધવલના બે મંત્રીભાઈઓ તેજપાલ અને વસ્તુપાલે ઈ સ. ૧૨૩૨ માં કરાવ્યું. મંત્રી તેજપાલના પુત્ર લૂણસિંહની યાદમાં આ મંદિર બનાવવામાં આવ્યું હતું. તેથી લૂણવસહી તરીકે ઓળખાવા લાગ્યું. આ મંદિરની સ્ત્રના આદિનાથનાં મંદિર જેવી છે. પ્રાંગણ, દેવકુલ, સ્તંભ, મંડપ વગેરે અહીં પણ છે. રંગમંડપ, નવચોકી, ગૂઢમંડપ અને ગર્ભગૃહની રચના પહેલા મંદિર જેવી છે. હસ્તિશાળા પ્રાંગણની અંદર જ છે. પરંતુ અહીં રંગમંડપમાં સ્તંભની ઊંચાઈ કાંઈ વિશેષ છે. દરેક સ્તંભની રચના તથા તેનું તક્ષણકામ ભિન્ન ભિન્ન છે. મંડપની છત ખૂબ નાની છે. અહીંની રચના સૌન્દર્યની પ્રશંસા કરતાં પાશ્ચાત્ય વિવેચક ફર્ગ્યુસન કહે છે કે આરસ ઉપર જે પરિપૂર્ણ લાલિત્ય સમતુલાથી અલંકૃત કરવામાં આવેલું છે તેની ઉપમા મળવી કઠિન છે. પથ્થર ઉપર એટલું બારીક તીક્ષણ કોતરકામ કરવામાં આવ્યું છે, જાણે કે મીણના પિંડમાં કોતરકામ કરવામાં આવ્યું ન હોય ! આ બંને મંદિરની આરસપહાણની કારીગરી જોઈને કલાવિશારદે આશ્ચર્યચકિત બનીને મોંમાં આંગળાં નાંખી દે છે. ભારતીય શિપીઓએ કલાકોશલ 'એવું વ્યક્ત કર્યું છે કે જેને કારણે કલાના ક્ષેત્રમાં ભારતનું મસ્તક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy