SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ . જૈન સાહિત્ય સમારોહ – ગુ૭ ૨ સ્થૂલ કર્મયોગ અપનાવીએ તે નિષ્કામભાવે પરોપકાર કરતાં કરતાં ફળની ઈરછા રાખ્યા વિના અને કર્તાપણાના અભિમાનરહિત રહીએ તો તે ચિત્તવૃત્તિનિરોધ છે. સુમ એ ઉપાસનાયોગ (ભક્તિયોગ) અપનાવીએ તો તેમાં ભક્તિમાં લયલીન થતાં સંસારનાં વિષય-કષાયભાવરહિત થઈએ. તો તે ચિત્તવૃત્તિ નિરોધ છે. શન્ય એવા જ્ઞાનગને અપનાવે તે એમાં શુભ ભાવોને પણ નિરોધ કરી જેટલા બને એટલા અંશે નિર્વિકલ્પ ઉપગમાં (વિચારરહિત અવસ્થામાં) રહે તો તે ચિત્તવૃત્તિ નિરોધ છે. કર્મયોગ સુધી સ્થૂલ વિકલ્પ ભાવો રહે છે. ઉપાસના યોગ સુધી સૂક્ષ્મ વિક૯૫ ભાવો રહે છે. જ્ઞાનયોગ-ચાગમાં અને અંતે શન્યમાં વિલીન થવાય છે. સ્થૂલ (શરીર, ઈન્દ્રિય, પ્રાણુ) ઉપર આરોહણ કરીને સૂક્ષ્મ (મન અને બુદ્ધિ) ઉપર પહોંચવું જોઈએ. સૂક્ષ્મ ઉપર આરોહણ કરીને શન્ય(પરમાત્મસ્વરૂપ)માં લય થવું જોઈએ. ધ્યાનથી જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ થાય છે અને સ્મરણશક્તિ-બુદ્ધિશક્તિ-સંકલ્પશક્તિ (ચિંતવેલું – છડેલું પાર પાવાની શક્તિ)-જ્ઞાનશક્તિ આદિ ખોલે છે. અગ્નિને ઈંધણ મળે તો અગ્નિ ટકે, નહિતર નહિ ટકે એટલે કે ઓલવાઈ જાય-બુઝાઈ જાય. મનને બહારના પદાર્થો જોવા મળે તે મોહ અને અજ્ઞાન ટકે. કાયોત્સર્ગ કરીને મનને જુઓ તે ઈધણ (પરપદાર્થ) નહિ મળવાથી મન પ્રશાંત થાય છે. ભોગ્ય પદાર્થની જે જે ઈચ્છાઓ થાય છે તે ઇચ્છાઓ ખાઈ જવાની એટલે કે ઈઓને ભોગ્ય પદાર્થોની સાથે નહિ જોડવી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy