SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૪ જૈન સાહિત્ય સમારોહ - ૩૭ નિકામાં જીવ અયિ છે અને નિદ્રાનું સુખ છે. સ્વાતમાં જીવ દ્રષ્ટા છે અને અક્રિય છે. જાગૃતમાં જીવ સૃષ્ટા છે અને સક્રિય છે. જે જીવ જાગૃતમાં ભ્રષ્ટા મટી જઈ માત્ર જ્ઞાતા-દ્રષ્ટા બની રહે તે સ્વરૂપાનંદ, ચેતન્યાનંદ પ્રાપ્ત કરી શકે. ચારિત્ર અને તપ એ ત્યાગપ્રધાન ધર્મ છે, જ્યારે ધ્યાન એ જ્ઞાનપ્રધાન ધર્મ છે અને ભક્તિ એ લાગણીપ્રધાન ધર્મ છે. આ બધાંથી સંવર અને નિર્જરા થવા જોઈએ એ ખાસ મહત્ત્વનું છે. આ સ્વપ્ન છેડીને જયારે જાગીએ છીએ ત્યારે સ્વપ્નાવસ્થા પ્રત્યે આપણને રાગદ્વેષ રહેતાં નથી, કારણ કે તેની અસતા જાગ્રત થતાં જ લક્ષ્યમાં આવે છે. તે જ પ્રમાણે જાગ્રત અવસ્થામાં ધટતી ઘટનાઓને સ્વનવત્ અસત્ સમજીને માત્ર તેના જે જ્ઞાતા-દ્રષ્ટા એટલે કે સાક્ષી બની રહીએ તો આપણે રાગદ્વેષરહિત થઈએ. સ્વરૂપ-આનંદ લેવો એ જ મેક્ષ ! જ્ઞાનને સ્વરૂપ-આકારમાં મૂકવું એનું નામ ધ્યાન ! જેવું જ્ઞાનનું નિર્વિકલ્પ વીતરાગ સ્વરૂપ છે એવા સ્વરૂપમાં જ્ઞાનને રાખવું એનું નામ ધ્યાન ! ધર્મ કરવાનું ખરું ક્ષેત્ર ક્યાં છે ? આપણે પોતાને મતિજ્ઞાનને ઉપયોગ જે પ્રક્ષિણે ચાલુ છે તે જ ધર્મ કરવાનું ખરું ક્ષેત્ર છે. ત્યાં જ અધર્મ ચાલતો હોય છે અને ત્યાં જ ધર્મ કરવાનું હોય છે એ ધર્મ આચરવા માટેનું સ્વક્ષેત્ર છે ધર્માચરણને માટે અત્યંતરમાં આત્માને નિર્વિકલ્પ ઉપગ છે. જ્યારે, અસ્થમાં જિનકલ્પ એટલે કે મુનિધર્મ-સાધુધર્મ છે. બહારમાં વસ્તુરહિત થવાનું છે અને અત્યંતરમાં વિકલ્પરહિત થવાનું છે. એ જ બાહ્ય-અત્યંતર મોક્ષમાર્ગ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy