SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ ધ્યેય, ધ્યાન, ધ્યાતા માધ્યસ્થતા) એ સૂમ સાધના છે. વીતરાગતા (સ્વરૂપ રમણતાસ્વરૂપાનંદાવસ્થા) એ શૂન્ય સાધના છે. એકાગ્રતામાં લક્ષ્ય-ઈષ્ટની કલ્પના કરીને એકમના થઈ એને જોઈએ છીએ. અને એનાથી વિખૂટા પડી ન જવાય અર્થાત લક્ષ્યાંતર ન થઈ જાય એને માટે મથીએ છીએ. પ્રતિક્ષણે સાધકે પિતાના મનને અને પોતાની વૃત્તિને જોતાં શીખવાનું છે. બાહ્ય દશ્યને નથી જોવાનું. પરંતુ પોતાની અંતરદષ્ટિથી પિતાની જ દષ્ટિને સાધકે જોવાની છે. મનને જોવા વડે જ મનનો નાશ થાય છે. મનને જેનારું બીજુ મન – આંતરમન – નિર્દોષ હોય છે. આને જ અંતરક્રિયાઆંતરખોજ – આત્માને અવાજ – Introspection – આત્મનિરીક્ષણ કહેવાય છે. શળથી (કાંટાથી) જેમ શળ (કોટ) નીકળી જાય છે, તેમ નિર્દોષ મનથી સદોષ મન નાશ પામે છે. સદગુરુ ભગવંત શિષ્યને આવી આંતરક્રિયા કરતાં શીખવે છે. આત્માના જ્ઞાનને અવિનાશી બનાવવું હોય તો જે આત્માના આત્મપ્રદેશ અવિનાશી છે એમાં એનું ધ્યાન ધરવું જોઈએ. આત્મપ્રદેશને સ્થિર કરી ઉપયોગને એમાં સ્થિર કરવાથી ઉપગ અવિનાશી બને છે. ઉપગ આત્મપ્રદેશથી બહાર ન જવાથી પદ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવનું પ્રતિબિંબ ઉપગમાં પડતું નથી. જે તેમ ન થાય તો ઉપયોગ પરભાવ રમણતામાં રહે છે. જે છઘસ્થ ઉપયોગ છે અને વિનાશી છે. અસ્થિર છે. અનિત્ય છે માટે જ કાયોત્સર્ગમાં “અપાણે વોસિરામિ” શબ્દ સહ આત્માએ આત્માના પ્રદેશમાં પિતાના જ્ઞાન-દર્શનના ઉપયોગને સ્થિર કરી દઈને પરદ્રવ્ય-ક્ષેત્રકાળ-ભાવથી પર–અતીત થવાનું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014002
Book TitleJain Sahitya Samaroha Guchha 2
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1987
Total Pages471
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy