SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સમારોહ ગ્રહણ કરે છે.” અનંત ધર્માત્મક વસ્તુની જટિલતા જેવો જ નયવાદ પણ એટલે જટિલ છે એ સમજવી એમણે જણાવ્યું : “આપણું સમગ્ર લેકવ્યવહારમાં નયમૂલક અનેકાના સિદ્ધાંત એટલો ઓતપ્રોત - થઈ ગયો છે કે એનું બારીકાઈપૂર્વક વિશ્લેષણ કરીએ તે આ સિદ્ધાંત સહજ રીતે સમજાઈ જાય તે છે.” દિવ્ય-ગુણ-પર્યાયના રાસ પર આધારિત નિબંધ મહામહોપાધ્યાય યશોવિજયજી મહારાજે દ્રવ્ય-ગુણ-પર્યાય -રાસની ૧૭ ઢાળમાં દ્રવ્યાનુયેગને ઉતાર્યો છે, તેની બીજી ઢાળની પ્રથમ ગાથામાં તેઓએ દ્રવ્યનું લક્ષણ બાંધ્યું છે, એમ જણાવી આ ગાથા અને તે પર રચેલા રોપજ્ઞ ટકાના વિવેચનરૂપે આ નિબંધ એમણે લખ્યું છે એમ તેમણે ઉમેર્યું હતું. તત્ત્વ અનુત્પન્ન અવિનાશી છે' એમ જણાવી એમણે લેક- વ્યહારમાં અનેકાતની સ્વીકૃતિ, દ્રવ્યાર્થિક નયની અભેદ દષ્ટિ, પર્યાયા ર્થિક નયની ભેદદષ્ટિ, સંગ્રહ નયની અભેદ દષ્ટિ, વ્યવહાર નયની ભેદદૃષ્ટિ, સામાન્યના ભેદ, વિશેષના બે ભેદ અને અનેકાન્ત વગેરેની તલસ્પર્શી છણાવટ કરી અનેકાન્ત ઉત્તમ નીતિ છે એવું પ્રતિપાદન કર્યું હતું. ત્યારબાદ એમણે દ્રવ્યનાં લક્ષણો સમજાવતાં દ્રવ્યનું લક્ષણ સત છે; ઉત્પાદ, વ્યય અને છ ધ્રૌવ્યથી યુક્ત છે તે સત્ છે; જે ગુણ અને પર્યાયવાળું છે તે દ્રવ્ય છે; અર્થ ક્રિયા-કારિત્વ એ દ્રવ્યનું - લક્ષણ છે” વગેરે બાબતોની ન્યાયસંગત છણાવટ કરી એનું એમણે પ્રતિપાદન કર્યું હતું. જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર જૈન રનમે વીર માવજી અવધારણા ' વિશે ડે. નરેન્દ્ર ભાણાવતે (જયપુ) સંશોધન-અભ્યાસ લેખ રજૂ કર્યા બાદ શ્રી નેમચંદ -ગાલાએ (મુંબઈ) જૈન દર્શન અને સંત તિરુવલ્લુવર' વિશે રજૂઆત કરતાં કહ્યું : “દક્ષિણ ભારતના આ સંત, કબીરની માફક વણકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy