SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ ચતુર્થ જેને સાહિત્ય સમારોહ સન આપ્યું કે આમાં એ વું હતું. જે હવે તરફથી પંચમ સાહિત્ય સમારોહ કચ્છમાં જવા અંગેનું નિમંત્રણ સંસ્થા વતી શ્રી વસનજી લખમશી શાહે કહ્યું હતું. શ્રી નાનાલાલ વસાએ નિમંત્રણપત્રનું પઠન કર્યું હતું. તદુપરાંત શ્રી ખંભાત તાલુકા. સાર્વજનિક કેળવણી મંડળ તરફથી ખંભાતમાં પંચમ જૈન સાહિત્ય. સમારોહ યોજવાનું શ્રી નટવરલાલ એસ. શાહે જાતે હાજર રહીને. નિમંત્રણ આપ્યું હતું. શ્રી શશીકાન્તભાઈ મહેતાએ પૂજ્ય જંબુવિજયજી મહારાજની નિશ્રામાં શંખેશ્વર ખાતે આગામી જૈન સાહિત્ય સમારોહ યોજવાનું નિમંત્રણ મંત્રીઓને પાઠવ્યું હતું. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વ્યવસ્થાપક સમિતિ આ નિમંત્રણે અંગે હવે પછી નિર્ણય લેશે એવું જાહેર કરવામાં આવ્યું હતું. લુપ્ત થતે જૈન ધર્મનો મર્મ ચતુર્થ જૈન સાહિત્ય સમારોહના પ્રમુખ જૈન સાહિત્યના બહુશ્રુતઃ વિદ્વાન શ્રી અગરચંદજી નાહટાએ શસ્તવ સ્તુતિ બાદ ખૂબ જ નમ્રતાપૂર્વક જણાવ્યું કે “મારું શિક્ષણ પાંચ ધોરણ સુધીનું જ છે. સાહિત્યરુચિ, એમાં તન્મયતા અને એ અંગેની સહજ ભાવનાથી મેં આ નિમંત્રણ સ્વીકાર્યું છે. જૈન સાહિત્ય અને કલા માટે મારું જીવન. છે. મારી પાસે ૬૫,૦૦૦ હસ્તપ્રતો અને ૪૦,૦૦૦ પુસ્તકે છે. મારા મહિમા માટે હું આ વાત નથી કરતો. પરંતુ એને અભ્યાસ અને સંશોધન પરથી મને એમ લાગ્યું છે કે જૈન ધર્મને મર્મ લુપ્ત થતું જાય છે. જૈન સંરકારની જાળવણું એ વર્તમાન સમયની મુખ્ય અને મહત્વની સમસ્યા છે. વિશ્વવિદ્યાલયમાં જૈન સાહિત્ય, કલા, સ્થાપત્ય, શિપ આદિ વિદ્યાશાખા માટે દાન તો મળશે જ. પરંતુ. વિશ્વવિદ્યાલય માટે યોગ્ય વિદ્વાનો મળતા નથી એ પ્રશ્ન કેન્દ્રસ્થાને છે.” પ્રમુખશ્રીનાં સૂચને પ્રતિ બે વર્ષે યોજાતા જૈન સાહિત્ય સમારેહના બદલે પ્રમુખશ્રી નિદાન શ્રી અગમ અગો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy