SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય જૈન સાહિત્ય સમારોહ ૪૫ નથી, તપ નથી અને સંયમ નથી. કાર્લ માસે પણ ભગવાન. મહાવીરની “સ્વામીત્વના ઉમૂલન'ની ભાવનાને અનુરૂપ કરેલા ઉોધનને વક્તાએ ઉલ્લેખ કર્યો હતો. ભગવાન મહાવીરે મર્યાદિત પરિગ્રહના અતિચારને પણ જે વિચાર કર્યો હતો તેનો પરિચય કરાવી. વક્તાએ આચારશુદ્ધિ અને મર્યાદિત પરિગ્રહ માટે દર્શાવેલાં ત્રણ વ્રતોઃ (૧) ઈચ્છા પરિમાણ વ્રત, (૨) દિશા પરિમાણ વ્રત તથા. (૩) ભગપગ પરિમાણ વ્રત–ની સમજણ આપી પરિગ્રહના આંતરબાહ્ય પ્રકાર વર્ણવ્યા હતા. તેમણે કહ્યું: “ધનધાન્ય, જમીનજાગીર, ઝવેરાત વગેરેને સંગ્રહ તે બાહ્ય પરિગ્રહ છે. ક્રોધ, લોભ, મેહ, અહંકાર, આ બધા માનવમનના દુર્ભા, તથા તૃષ્ણા ઇત્યાદિ. વિકારી ભાવે તે સૂકમ પરિગ્રહ છે. મારું તે જ સાચું” એવો સ્વમતાગ્રહ અને જેટલું સાચું તેટલું મારું' એવે વૈચારિક પરિગ્રહ. તથા સાંપ્રદાયિકતા, રાષ્ટ્રીયતા, શરીરબળ, સત્તાકાંક્ષા અને ધનવાનની ખુશામત આ સર્વ પણ સૂક્ષ્મ પરિગ્રહે જ છે.” વધારે પડતું કમાઈને દાન કરવું તે કીચડમાં પગ મૂકીને ઘેવા સરખું છે એ આચાર્ય હરિભદ્રસૂરિનું મંતવ્ય રજૂ કરીને વક્તાએ દાન કરતાં પણ ત્યાગ અને એ રીતે અપરિગ્રહને મહિમા કર્યો હતે. જૈન ઇતિહાસ અને કળા બપોરે મળેલી બીજી બેઠકને વિષય હતો જૈન ઈતિહાસ અને કળા.” સમારોહના પ્રમુખ ડો. ભોગીલાલ સાંડેસરાએ બેઠકના વિભાગીય અધ્યક્ષ ડો. હરિપ્રસાદ શાસ્ત્રીને પરિચય કરાવ્યો હતો.. ડો. હરિપ્રસાદ શાસ્ત્રીએ “ગુજર તનાં પ્રાચીન ઇતિહાસ, સ્થાપ ય શિ૯૫ આદિ કલાઓમાં જૈન ધર્મનું પ્રદાન એ વિષય ઉપરના પિતાના ઊંડા અભ્યાસપૂર્ણ વ્યાખ્યાનમાં કહ્યું હતું કે “પ્રાગૈતિહાસિક પાષણયુગીન સંસ્કૃતિમાં જૈન સંપ્રદાય જેવા સંપ્રદાય હેવાનું જાણવા મળ્યું નથી. પુરાતત્વીય સ્થળતપાસમાં તથા ઉખનને દ્વારા આદ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy