SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય જૈન સાહિત્ય સમારોહ “દર્શનનું અધ્યયન આધુનિક સમાજના ઉપયોગની દષ્ટિએ આધુનિક દર્શનના પરિપ્રેક્ષયમાં થવું જોઈએ. બીજી રીતે કહીએ તે દર્શનને આધુનિક સંદર્ભમાં, સમાજના સંદર્ભમાં જોવું જોઈએ. કારણ, સામાજિક દષ્ટિએ દર્શનની કશીક ઉપયોગિતા છે. દર્શનની અવધારણાને જીવન સાથે સંબંધ હોવો જોઈએ આથી દાર્શનિક અવધારણાનું જીવનના અને સામાજિક સંદર્ભમાં મૂલ્યાંકન થવું જોઇએ. જેન દાર્શનિક સિદ્ધાંતને આધુનિક સંદર્ભમાં મૂલવવા જોઈએ.” આત્માને શી રીતે જાણવો? ડો. જેને વિશેષમાં કહ્યું : “આત્માને શી રીતે જાણું ? આ આત્માની પિછાન એ એક સુદી જ્ઞાનયાત્રા છે. આત્માને સીધેસધો કઈ જાણી શકતો નથી. ઇન્દ્રિય કે મન દ્વારા તે પકડાતો નથી. તો હવે “સજેટને “એન્સેટ' બનાવવાની જરૂર છે. આત્માને ન જાણી શકાય તો યે અનામને તો જાણી શકાય છે. જે પ્રજ્ઞાથી પર–અલગ થઈ જાય તો શેષ જે રહેશે તે આત્મા હશે. આપણે આપણું એકેએક મર્યાદા, નિર્બળતા, ભાવના તથા વૃદ્ધિના દ્રષ્ટા થવું જોઈએ. આ પણે આપણી જાતના સાક્ષી થવાની જરૂર છે. આપણને ક્રોધ થતો હોય તે કૅધ પ્રત્યે જાગ્રત થવું જોઈએ. કૈધ પ્રત્યે જાગ્રત થવું અને ક્રોધ કરે એ બે એકસાથે બની શકશે નહિ.. આપણે આપણી જાતને દ્રષ્ટાભાવથી એટલે કે સાક્ષીભાવથી જેવી જોઈએ. દર્શકની સ્થિતિમાં રહીને સંસારનો અનુભવ કરવો જોઈએ. અર્થાત્ સંસારના અનુભવ અનાસક્તભાવથી કરવો જોઈએ અથવા અનાસક્ત રહીને સંસાર અનુભવો જોઈએ, ભગવો જોઈએ.” ડો. સાગરમલજી જૈનના વ્યાખ્યાન પછી નિબંધોનું વાચન થયું હતું. જૈન આગમામાં જ્ઞાન–પ્રમાણના સમન્વયને પ્રશ્ન પ્રો. કાનજીભાઈ પટેલે (પાટણ) જૈન આગમાં જ્ઞાન-પ્રમાણુના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy