SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય જૈન સાહિત્ય સમારોહ ૩૯ બેઠક તા. ૨૦ મી ડિસેમ્બરે સવારે અને બપોરે અખિલ હિંદ મહિલા પરિષદ સભાગૃહમાં યોજાઈ હતી. પ્રથમ બેઠકનો વિષય હતો જૈન તત્વજ્ઞાન'. તેના અધ્યક્ષપદે હતા બનારસ હિંદુ યુનિવર્સિટીમાંના દર્શનશાસ્ત્ર વિભાગના વડા ડો. સાગરમલજી એન. બીજી બેઠકને વિષય હતા જૈન ઇતિહાસ અને કળા'. તેના અધ્યક્ષપદે હતા. ઇતિહાસ, સ્થાપત્ય અને સંશોધનક્ષેત્રના ભારતભરમાંના એક અગ્રણી વિદ્વાન હૈ. હરિપ્રસાદ શાસ્ત્રી, ત્રીજી બેઠક રવિવારે સવારે “સમૃદ્ધિ (નાનપરાઃ સુરત)માં મળી હતી. તેનો વિષય હતે “જૈન સાહિત્ય, તેના અધ્યક્ષપદે હતા અસાધારણ વિદ્યાવ્યાસંગી વિદ્વાન શ્રી અગરચંદજી નાહટા. તેમણે અત્યારસુધીમાં પાંચ હજારથી પણ વધુ લેખો લખ્યા છે. તેમની સ્મૃતિ અદ્ભુત રીતે સતેજ છે. પરિસંવાદમાં રજૂ કરવા માટે ઘણું નિબંધ આવ્યા હતા. તેમાંના સોળ નિબંધ સંક્ષેપમાં વંચાયા હતા. જે ચાર નિબંધકારે અનુપસ્થિત હતા તેમના નિબંધોને વસ્તુસાર ડો. રમણલાલ શાહ સંક્ષેપમાં રજૂ કર્યો હતેા. પરિવારની પ્રથમ બેઠક પરિસંવાદની પ્રથમ બેઠકના આરંભે વિદ્વાન ચિંતક અને લેખક શ્રી દલસુખભાઈ માલવણિયાએ ડે. સાગરમલ જૈનને પરિચય કરાવ્યો. હતો. ડો. સાગરમલ જૈન બનારસ હિંદુ વિદ્યાપીઠમાં પ્રજ્ઞાચક્ષુ પડિત સુખલાલજીસ્થાપિત દર્શન-સંશોધન વિભાગના વડા છે અને તત્વજ્ઞાનના અધ્યાપક છે. તેઓ દાનશાસ્ત્રના પીએચ. ડી. છે. જૈન તત્વજ્ઞાન - ડે. સાગરમલ જૈને પિતાના વ્યાખ્યાનમાં કહ્યું હતું કે “દર્શનના ક્ષેત્રમાં ધ્યાનમાં આવતી પહેલી વાત એ છે કે આપણે ત્યાં દર્શનનું અધ્યયન અધ્યાત્મને અનુલક્ષીને પરંપરાગત સ્વરૂપમાં થતું આવ્યું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy