SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ દ્વિતીય જૈન સાહિત્ય સમારેહ મન્ય સંસ્કૃત હતી, ત્યારે જૈન સાહિત્યને પ્રારંભ પ્રાકૃત એટલે કે લોકભાષાથી થયો. વેદોએ અને તેની ભાષ એ મંત્રપદ પ્રાપ્ત કર્યું હતું. તેના ઉચ્ચારણ આદિમાં કશો ભેદ થવો ન જોઈએ. તેના વિવિપૂર્વક ઉચ્ચારણ માત્રથી કાર્યસિદ્ધિ થવાની ધારણું વૈદિકે માં બંધાઈ હતી. આના વિરોધમાં જૈન સાહિત્ય પિતાની ભાષા પ્રાકૃત સ્વીકારી. પણ ગુપ્તકાળમાં ભાષા અને વૈદિક ધર્મનું પુનરુત્થાન થવા લાગ્યું ત્યારે જેનોએ પણ પિતાને સાહિત્ય માટે પ્રાકૃત ઉપરાંત સંસ્કૃત ભાષા અપનાવી, એટલે સુધી કે મૂળ જૈન આગમોની ટીકાઓ ગઇ કે પદ્યમાં, પ્રાકૃતમાં લખાતી હતી તેને બદલે ઈસુની આઠમી સદીના પ્રારંભથી સંસ્કૃતમાં પણ લખાવા લાગી. જૈન તત્ત્વજ્ઞાનની વિશેષતા આ વિશ્વની ઉત્પત્તિની વિચારણા વૈદિક સાહિત્યમાં થઈ હતી અને ઈશ્વર જેવા અલૌકિક તત્ત્વની પ્રતિષ્ઠા વિદિકે કરી હતી. તેને સ્થાને આ વિશ્વ અનાદિ કાળથી વિદ્યમાન છે અને અનાગતમાં રહેવાનું છે, એટલું જ નહિ પણ જ્યારે આમ છે ત્યારે અધિનાયક ઈશ્વર તત્વને પણ અસ્વીકાર એ જૈન તત્ત્વજ્ઞાનની વિશેષતા છે. કર્મની પ્રતિષ્ઠા યaરૂપે મુખ્યત્વે વૈદિકામાં હતી. યજ્ઞકર્મની પ્રતિષ્ઠા ઉપનિષદમાં ઘટાડવામાં આવી પણ કર્મવિચારણા આગવી રીતે જૈન સાહિત્યમાં દેખાય છે. તેમાં પ્રથમ તો એ કે આત્માની વિશુદ્ધિ માટે કે આત્મસાક્ષાત્કાર માટે માત્ર જ્ઞાનનું જ મહત્વ નથી, જ્ઞાન અને ક્રિયા એટલે સતકર્મ અથવા સચરણ અભિપ્રેત છે. ઉપનિષદોએ જ્ઞાનમાર્ગની પ્રતિષ્ઠા કરવા પ્રયત્ન કર્યો પણ સદાચાર શું તેનું જોઈએ તેવું સ્પષ્ટીકરણ તે સાહિત્યમાં દેખાતું નથી. આથી જ પરિગ્રડના પાપ કે હિંસાના પાપ વિશે ઉપનિષદો આપણને માર્ગદર્શક બની શકતાં નથી. સદાચારનાં ધોરણે જે જૈન સાહિત્યમાં સ્થાપવામાં આવેલાં તે વૈદિક સાહિત્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy