SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સમારાહ ખિણુ આંગણ પાઈ આઈ, ખિણુ એક નીસર જા; ખિણુ ચડ૪ નઇ આવાસિ, પાતાધિ પઇસઇ નાસિ; ખિણુ હુસ† તાલી દેછે, ખિણુ મિલઇ સાઇ લેઇ; ખિણુ ઘઈ નિલામ હાથ; ખિણ ગલહથા ખિણ ખાય; ખિણુ કહેછે હા હા દેવ, ઇમ ફીજીયઇ વલિ નૈવ; એક વસી રહીયડ સીત, નહિ વાત ખીજી ચીત.’ ૩૩૬ રાવણની રાણી માંદોદરી અને રાવણના ભાઈ વિભીષણે રાવણના આ કાર્યને વિરોધ કર્યાં. ખીજી બાજુ રામ અને લક્ષ્મણના કુશળસમાચાર ન મળે ત્યાં સુધી સીતાએ અન્નજળને ત્યાગ કર્યાં. કિકિધાનગરીમાં સુગ્રીવ રાજ્ય કરતા હતા. પરંતુ એક વિદ્યાધરે પાતે સુગ્રીવ છે એમ કહીને એનું રાજ્ય પડાવી લીધું હતું. એથી સુગ્રીવ રામને શરણે ગયા અને સીતાની શેાધ કરી આપવાનું વચન આપ્યું. રામે નકલી સુગ્રીવ વિદ્યાધરને હરાવી સુગ્રીવને એનું રાજ્ય પાછું અપાવ્યું. સુગ્રીવે તપાસ કરી આપી કે ચિત્રકૂટ પર્વત પર આવેલી લંકા નગરીમાં સીતાને રાખવામાં આવી છે. રાવણ તેનું અપહરણ કરી ગયેા છે. આ માહિતી મળતાં રામે રાવણને સમજાવવા માટે હનુમાનને મેકલવાના નિશ્ચય કર્યાં. રામની મુદ્રિકા લઈને હનુમાન લકા પહેાંચ્યા અને સીતાને મળ્યા. રામ અને લક્ષ્મણના કુશળસમાચાર મળ્યા એટલે સીતાએ ઉપવાસ છેાડી હનુમાનને હાથે પારણું કર્યું. હનુમાને વિભીષણ દ્વારા રાવણને સમજાવવાના પ્રયત્ન કર્યાં. દરમિયાન રાવણુના પુત્રા હનુમાન સાથે યુદ્ધ કરી એને કેદ કરી રાવણુ સમક્ષ લઈ આવ્યા. પરંતુ હનુમાન તેમાંથી છટકી ગયા. એમણે રાવણના ભવનને ખેદાનમેદાન કરી નાખ્યું અને રામ પાસે આવીને સીતાના કુશળ-સમાચાર આપ્યા. રામે અનેક સૈનિકા સાથે લંકા ઉપર ચડાઈ કરી. રાવણે પેાતાની સલાહ ન માની એટલે વિભીષણ રામના શરણે ગયા. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy