SearchBrowseAboutContactDonate
Page Preview
Page 334
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યમાં સંશોધનઃ એક દષ્ટિ કાસગણિત “વસુદેવહિંડી પ્રથમ ખંડનું સંપાદન મુનિર્શ ચતુરવિજયજી અને મુનિશ્રી પુણ્યવિજયજી એ ગુરુ-શિષ્ય કર્યું છે (ભાવનગર, ૧૯૩૦-૩૧) અને એનું ગુજરાતી ભષાન્તર, એ વિષયની પ્રસ્તાવના સહ, મેં કર્યું હતું (ભાવનગર, ૧૯૪૬) ધર્મસેનગણિકૃત એના મધ્યમ ખંડનું સંપાદન ડે. હરિવલ્લભ ભાયાણું અને ડે. આર. એમ. શાહ કરી રહ્યા છે. ફેન્ચ વિદ્વાન ફેલિકસ લાકાતેએ ગુણાઢથી બહત્કથા” અને, તેનાં સંસ્કૃત રૂપાન્તર વિશે સંશોધનાત્મક ગ્રી ૧૦૦૮માં પ્રગટ કર્યો અને રેવ. બાર્ડે એનું અંગ્રેજી ભાષાન્તર કર્યું. પણ ૧૯૩૦૩૧માં મુનિશ્રી ચતુરવિજયજી અને પુણ્યવિજયજીએ “વસુદેવ-હિંડી" પ્રથમ ખંડનું સંપાદન પ્રસિદ્ધ કર્યા પછી ભારતીય કથાસાહિત્યના અધ્યયન અને સંશોધનને એક નવું પરિમાણ પ્રાપ્ત થયું. (“વસુદેવહિંડીના આર્ષ પ્રાકૃતની ખાસિયત અને તેની ગદ્યશૈલની વિશિષ્ટતાઓ અને કેટલેક સ્થળે પ્રાચેલું પદ્યગધી ગદ્ય એ વળી સ્વતંત્ર ભાષાવૈજ્ઞાનિક અને શેલત અધ્યક્તનો વિષય છે.) ૧૯૫૩માં રોમ ખાતે મળેલી આંતરરાષ્ટ્રીય પ્રાચ્યવિદ્યા પરિષશ્ન એગણીસમા અધિવેશન સમક્ષ રજૂ કરેલા એક જર્મન નિબંધમાં લ્યુડવીગ આ તડાફે બહત્કથા” અને “વસુદેવર્નહદીને સબંધે પ્રથમ વાર બતાવ્યો(એ. નિબંધને સાર વસુદેવ-હિંડીના ગુજરાતી અનુવાદની પ્રસ્તાવનામાં મેં આપે છે.) એ પછી “વસુદેવહિંડી વિશે ભારતમાં પશ્ચિમના દેશમાં અને ઓસ્ટ્રેલિયામાં અનેક લેખો અને મહાનિબંધ લખાયા છે. એ દિશામાં છેલ્લું મહત્વનું શેધકાર્ય જગદીશચંદ્ર જૈનને, લા. દ. ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર તરફથી ગયે. વર્ષ પ્રગટ થયેલે આ ગ્રજી ગ્રન્થ છે. “વસુદેવ-હિંડી” અને “બૃહત્કથાકસંગ્રહની તુલનાને એમાં સમર્થ પ્રયત્ન છે તે સાથે આગળના કાર્ય માટે મહત્ત્વનાં અનેક દિશાસૂચને છે (પુરોવચન, પૃ. ૯-૧૦). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy