SearchBrowseAboutContactDonate
Page Preview
Page 277
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સમારોહ પ્રકરણ ત્રણમાં ત્યાગીના મહિમા ગાય છે. ઇન્દ્રિયનિગ્રહ અને સ`યમી જીવન પર ભાર મૂકયો છે. ૨૫૮ નિયમ અને નિયમનનું અચૂક પાલન જ ઝુનિયાદી તાલીમ છે. સંયમ સહેજ બની સ્વભાવ બની જવા જોઈએ, એ જીવનની રીતિ થઈ જવી જોઈએ, એ જ વાત એમણે જુદા સ્વરૂપે એમાં સમજાવી છે. પ્રકરણ ચારમાં. મહાવીરનાં વયના પ્રસ્થાપિત છે. મહાવીરે કહ્યું કે સમય બહુ અલ્પ છે. હું ગૌતમ ! ક્ષણમાત્રનેા પ્રમાદ ન કર.' સંતકવિએ લખ્યું છે, ‘એક ક્ષણુ પણ નકામી ન જવા દેતાં તમે જીવનભર સત્કૃત્યા કરતાં રહેા તે જન્મ-મરણના ફેરામાંથી મુક્ત થવાના માર્ગ પર તમારી ગતિ થાય છે.’ પાંચમા પ્રકરણમાં ગૃહસ્થજીવનને! મહિમા ગાયો છે. ચતુર્વિધ જૈન સંઘમાં શ્રાવક અને શ્રાવિકાની સંસ્થાને જૈન દર્શન અને પર પરાએ સ્વીકારી છે. મહાવીરે એની રચના કરી સ ંઘને સુઘટિત સ્વરૂપ આપ્યું. કવિએ ધર્મોંમય ગૃહસ્થજીવનની કલ્પના ઉપસાવી છે. તેમણે અત્યંત સાહજિકતાથી લખ્યું છે : બીજ પેાતાનાં વ્રતાનું પાલન કરી શકે તે માટે જે મદદરૂપ થાય છે અને ધર્માનુસાર જીવન જીવે છે એવા ગૃહસ્થને મહિમા કરે.. અનશન અને પ્રાર્થનામાં જીવન વ્યતીત કરનાર કરતાંયે તે મહાન સત છે.' કવિ વખે છે : ‘જેમને બાળા નથી અને જેમણે બાળકાની નવત વાણીના ધ્વનિ સાંભળ્યા નથી તેએ જ વાંસળી અને વીણાના મધુર સંગીતની વાતા કરે છે.’ સંતકવિએ ગૃહસ્થજીવનને સાધના અને તપની ક્રેટિમાં મૂકી દીધું છે. અતિથિધર્મ સ્વાભાવિક રીતે જ ગૃહસ્થાશ્રમની સૌથી પવિત્ર ફરજ બની રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy