SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્ય સમારોહ વસ્ય-સ્થિર થયે. જેના કેટલાક સમૂહે કર્ણાટકમાંથી કેગુ પ્રદેશ (સાલેમ, ઈરોડ અને કોઇમ્બતુરને વિસ્તાર), પશ્ચિમમાં કાવેરીપટમાં તિરુચિરાપલલી અને દક્ષિણમાં પડકેટાઈ વિસ્તાર (સત્તાનાવસલ) અને પાંડય રાજ્યના મદુરાઈ, રામચંદ્રપુર અને તિરુનેલવેલી જિલ્લા-ઓમાં વસવાટ કર્યો. આ વિસ્તારોમાં પહાડ અને ડુંગરાળ પ્રદેશમાં ગુફાઓ અને કેતરમાં જૈન સાધુ-સાધવીઓએ વિહાર-નિવાસ કર્યો -જેને સમર્થન આપતાં આલેખાયેલાં ઈ. સ. પૂર્વે ત્રીજીથી બીજી સદીનાં બ્રાહ્મી લિપિમાંનાં શિલાલેખો અને લખાશે આ પહાડો અને -ગુફાઓમાં જોવા મળે છે. આવાં સ્થળાની નજીક જૈન મંદિરનાં ખંડિયેરે તથા અવશેષો પણ જોવા મળે છે. સંલેખણ-અનશન કરી કાળધર્મ પામનાર મુનિ. ઓનાં નામની યાદી પણ કોતરાયેલી જોવા મળે છે. ઈ. સ. પૂર્વેની છઠ્ઠીથી બીજી સદી દરમિયાનનાં શિલાલેખે, - તામ્રપત્ર, અચ્ચાચલુર, અલગારમલાઈ, અનાઈમલાઈ, કગાર પુલી- અમગુલમ, સીત્તાનાવાસલ, તિરુનાથકુનરૂ, તિરુપુરનકુનરમ, પગલુર, મંગુલમ્, અવીઆરમલાઈ, તિરુચિરાપલ્લી, કુરંગલકુદી, અસ્તિપસી વગેરે સ્થળોએ જોવા મળે છે. જૈન મંદિરોનાં અવશેષે તથા શિ૯પસ્થાપત્ય દક્ષિણ તથા ઉત્તર - આરકેટ જિલે, તિરુચિરાપલી, પુડુલકેટાઈ, મદુરાઈ અને તિરુનેલવિલી જિલ્લામાં વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. જૈન પરંપરા અને જૈન સાહિત્યની સાથેસાથ તમિળ સાહિત્યને વિકાસ થયો છે. જૈન કવિઓ અને વિદ્વાનોએ પિતાનાં આગવાં પ્રદાનથી તમિળ સાહિત્યને સમૃદ્ધ અને વિસ્તૃત કર્યું છે અને ગૌરવ- વંતું સ્થાન ભોગવ્યું છે. તમિળ સાહિત્યને વિકાસ જૈનેને આભારી છે. જૈન કવિઓ અને વિદ્વાનેએ સાહિત્યના ઉત્કર્ષ અને ઉત્થાનમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy