SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૧ શ્રી જિનાગમ અને જૈન સાહિત્ય , ઉપાંગ ૧૨ છે. તે આ પ્રમાણેઃ ૧ ઔપપાતિક, ૨ રાજપ્રશ્નીય, ૩ જીવાજીવાભિગમ, ૪ પ્રજ્ઞાપન ૫ સૂર્યપ્રજ્ઞપ્તિ, ૬ જબૂદીપ પ્રજ્ઞપ્તિ, ૭ ચંદ્રપ્રજ્ઞપ્તિ ૮ નરયાવલિકા, ૯ કપાવત સિકા, ૧૦ પુપિકા, ૧૧ પુષ્પચૂલિકા અને ૧૨ વૃષ્ણિદશા. આ બાર ઉપાંગોમાં અનુક્રમે ૧ દેવોની જુદી જુદી યોનિઓમાં ક્યા કયા જી ઊપજે, તેની માહિતી, ૨ પ્રદેશ રાજા અને કેશી ગણધરને સંવાદ તથા સૂર્યાભદેવ ભગવાનની આગળ કરેલ બત્રીશ નાટકની માહિતી, ૩ જીવ-અજીવનું સ્વરૂપ, ૪ જીવ અને પુદ્ગલ સંબંધી છત્રીસ પદનું વર્ણન, ૫ સૂર્ય સંબંધી વર્ણન, ૬ અંબૂદ્વીપ સંબંધી નાની-મેટી અનેક હકીકતો, ૭ ચંદ્ર સંબંધી વર્ણન, ૮ ચેડા મહારાજા અને કેણિક મહારાજાના યુદ્ધમાં શ્રેણિક મહારાજાના કાલ-મહાકાલ વગેરે દશ પુત્રો મરીને નરકમાં ગયા તેનું વર્ણન, ૯ કાલ-મહાકાલ વગેરે દશ ભાઈઓના પદ્મમહા–પદ્મ વગેરે દશ પુત્રો સંયમની આરાધના કરી દશમા દેવલેકે ગયા તેનું વર્ણન, ૧૯ વર્તન માનકાલે વિદ્યમાન સૂર્ય-ચંદ્ર-શુક્ર વગેરેના પૂર્વ તથા બહુપત્રિકા દેવીની કથા વગેરે, ૧૧ જુદી જુદી દશ દેવીઓના પૂર્વભવનું વર્ણન, અને ૧૨ કૃષ્ણવાસુદેવના મોટાભાઈ બળદેવના નિષધ વગેરે બાર પુત્રના સંયમની આરાધનાને સમજાવનાર જીવનચરિત્રો આદિ આપવામાં આવેલ છે. ૩ છ દસૂત્રે: સંયમમાગે પ્રયાણ કરતાં મુનિજીવનમાં થઈ જનાર દેષની વિશુદ્ધિ માટે પ્રાયશ્ચિત આદિની વ્યવસ્થા દર્શાવનાર સૂત્રો તે છેદસૂત્ર કહેવાય. તે હાલ છે: ૧ નિશીથ, ૨. બૃહત્કલ્પ, ૩ વ્યવહાર, ૩ દશાશ્રુતસ્કંધ (હાલ જે પર્યુષણ મહાપર્વમાં કલ્પસૂત્ર-બારસાસૂત્ર નિયમિત વંચાય છે તે આ સૂત્રનું આઠમું અધ્યયન છે), પછક૯૫, અને ૬ મહાનિશીથ, આ સૂત્રોમાં મુખ્યત્વે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy