SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૨૮ જૈન સાહિત્ય સમારોહ સેમદેવના “કથાસરિત્સાગરની “તાલ પંચવિશતિકાની પહેલી કથામાં મંત્રીપુત્ર સાથે નીકળેલા રાજકુમારે મનમાં સરેવરકાંઠે સખીએ. સાથે સ્નાન કરવા આવેલી એક સુંદરી જોઈ. પરસ્પર અનુરાગ. રમતના બહાને સંકેત કરતાં સુંદરીએ કણ ઉપર ઉત્પલ મૂકયું. પછી દાંત સાફ કર્યા. મસ્તક પર પદ્મ રાખ્યું અને હાથ હૃદય પરપછી ચાલી ગઈ. મંત્રીપુત્રે સંકેત સમજાવતાં કહ્યું, “કર્ણ ઉપર ઉ૫લ મૂકયું એટલે કત્પલ રાજાના નગરમાં રહે છે. દાંત સાફ કરીને, હાથીદાંતનાં ઘાટ ઘડનાર મણિયારની પુત્રી છે એમ સૂચવ્યું. મસ્ત પર પદ્મ રાખી પિતાનું નામ પદ્માવતી જણાવ્યું. હાથ હૃદય પર રાખી સ્નેહને એકરાર કર્યો. આ રીતે જુદા જુદા સંકેત દ્વારા મિલન થાય છે. અત્રે એ નોંધવું રસપ્રદ ગણાશે કે સાંકેતિક ભાષા અગર સાંકેતિક ચેષ્ટાને કથામાં ઉપયોગ થયો છે ત્યારે નાયક સંકેત સમજતો નથી. જે આ રીતે થાય તે જ નાયક સંકેતને અર્થ મિત્ર અગર સ્વજનને પૂછે અને તેના ખુલાસા દ્વારા જ કથાકાર શ્રોતાઓને એનું અર્થઘટન સમજાવી શકે ! આ રીતે આ કથાને હૈ. હરિવલ્લભ ભાયાણું ધે છે તેમ, ભૂખ નાયક અને ચતુર મિત્રના વ્યાપક કથાપ્રકારમાં સમાવેશ થાય છે. મેંગોલ ભાષાની સિંહાસનબત્રીશી (આજિંબેજિંખાન”)માં પણ આવી સાંકેતિક ચેષ્ટાઓને ઉપગ થયે છે. વીરે વર કરીશ: પુરુષવેશે પરદેશ જતી નાયિકા મધ્યકાલીન સાહિત્યમાં પુરુષવેશે પતિની સાથે પરદેશ જતી. નાચિકાનું કથાવસ્તુ ધ્યાન ખેંચે એવું છે. કવિ શામળ ભટ્ટની કથા પ. જુઓ બાઁધ અને સ્વાધ્યાય, પૃષ્ઠ ૧૫૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy