SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ગત સકાની જૈન ધર્માંની પ્રવૃત્તિઓ ડૉ. કુમારપાળ દેસાઈ સેા વર્ષની જૈન સંઘેાની પ્રવૃત્તિનું અવલેાકન કરતાં એક હકીકત એ તરી આવે છે કે ગુજરાતની પ્રવૃત્તિઓની અસર ભારતનાં અન્ય રાજ્યાની પ્રવૃત્તિ પર પડી છે અને અન્ય રાજ્યાની જૈન-ધર્મ પ્રવૃત્તિની અસરા પ્રતિવેાણ ગુજરાતમાં ઝિલાયેા છે, આથી ગુજરાતની ધર્મ પ્રવૃત્તિને સમગ્ર દેશની પ્રવૃત્તિના પરિપ્રેક્ષ્યમાં જોવી ઉચિત જ નહિ, પણ આવશ્યક છે. ઈ, સ. ૧૮૮૪માં હુમન યાકીબીએ આચારાંગસૂત્ર અને કલ્પસૂત્ર એ એ પ્રાકૃત આગમસત્રોને પ્રાકૃતમાંથી અંગ્રેજીમાં ‘Jain Sutras' નામે અનુવાદ કર્યાં. આ પુસ્તકની પ્રસ્તાવનામાં હન યાÈાખીએ પ્રતિપાદિત કર્યુ કે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા નથી. લાસેન, વિલ્સન અને વેબર જેવા વિદ્વાનેાની માન્યતા હતી કે બૌદ્ધ ધમાંથી જૈન ધર્મને જન્મ થયા છે. યાકેાખીએ પ્રે. Lassen૧ની ચાર લીલાનું ક્રમઃસર ખંડન કરીને બતાવ્યું, કે જૈન એ અન્ય અમે કરતાં અને તેમાંય બૌદ્ધ ધર્મ કરતાં તેા તદ્દન સ્વતંત્ર ધર્મ છે અને મહાવીર તથા ગૌતમ બુદ્ધ એ બે સમકાલીન ભિન્ન મહાપુરુષા હતા, હર્મોન યાકેાખીએ કરેલું આ ઐતિહાસિક વિધાન પછીના સમયગાળામાં ઘણું મહત્ત્વનું બની રહ્યું. પશ્ચિમના અનેક વિદ્વાનોએ જૈન વિદ્યાના ક્ષેત્રમાં પેાતાનું આગવું પ્રદાન કર્યું. જૈન ૨ ↑ Indische Alterthun Skunde by Lassen, IV, p. 763 Seg. ૨ The Sacred. Books of the East' Series [ed. F. Max Muller ] : ‘Jain Sutras' by, Hermann Jacobi, Pub : Oxford University Press, 1884. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy