SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યગત પ્રારંભિક નિષ્ઠા ૧૧૭ ઘરસંસારથી વિરક્ત થાવ અને ભિક્ષાથી જીવન પાવન કરો એમ કહ્યું છે. ઘરસંસાર માંડ્યો હોય તો અનેક પ્રકારનાં કર્મો કરવાં પડે છે, જે બીજાને દુઃખદાયક છે. આથી બીજાનાં દુઃખનું નિમિત્ત ન બનવું હોય તે સંસારથી વિરક્ત થવું એ જ સાચો માર્ગ છે. ભિક્ષાવી થવાની પણ મર્યાદા એ છે, કે જે કાંઈ પિતાને નિમિત્તે થયું હોય તેને સ્વીકાર ન જ કરો, કારણ કે આથી પોતે હિસા ભલે ન કરતો હેય પણ બીજા પાસે એ કરાવતા હોય છે. પરિણામે આહાર આદિ આવશ્યકતાઓમાં મર્યાદા મૂકવી પડે અને તપસ્વી બનવું પડે. આથી આપણે જોઈએ છીએ કે જૈન ધર્મમાં તપસ્યાનું મહત્ત્વ સ્થાપિત થયું. વૈદિકામાં ભિક્ષાજવી માટે આવી કેઈ મર્યાદા નથી. બૌદ્ધોમાં પણ નથી, અને અન્ય શ્રમણ સંપ્રદાયમાં પણ નથી. આથી જૈન સાહિત્યમાં અનશન આદિ તપસ્યાને વિશેષ મહત્ત્વ અપાયું છે. તપસ્યા તે પૂર્વે પણ થતી. પરંતુ તે બીજા પ્રકારે એટલે કે એ તપસ્યામાં બીજા જીવોનાં દુઃખનો વિચાર ન હતું, જેમ કે પંચાગ્નિ તપસ્યા. આમાં પિતાના શરીરને કષ્ટ છે એની ને નહીં, પણ અન્ય કીટપતંગને પણ કષ્ટ છે તેનું જરા પણ ધ્યાન તેમાં અપાયું નથી. અગ્નિ આદિમાં છવો છે એને તો વિચાર સરખે પણ જૈન સાહિત્ય પૂર્વમાં થયો જ નથી. આથી જ “આચારાંગમાં સર્વપ્રથમ ષડૂજીવનિકાયનું સ્વરૂપ બતાવવું જેથી જેને અહિંસક બનવું હોય, પરદુઃખદાયક ન બનવું હોય તેણે એ તે જાણવું જ જોઈએ કે જીવો ક્યાં કેવા છે. એ જાણયા વિના અન્ય જીવોના કષ્ટને ખ્યાલ જ ન આવે. એ જાણ્યા હોય તે પછી જ મનુષ્ય હિંસક બની શકે. આભ, તપસ્યાનું રૂપ જ બદલાઈ ગયું જેને પ્રારંભ જૈન સાહિત્યમાંથી ૧૮ મળી શકશે. વળી આ તપસ્યાને ઉદ્દેશ કઈ શક્તિ પ્રાપ્ત કરી બીજાનું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.014001
Book TitleJain Sahitya Samaroha Guchha 1
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah, Kantilal D Kora, Pannalal R Shah, Gulab Dedhiya
PublisherMahavir Jain Vidyalay
Publication Year1985
Total Pages413
LanguageGujarati, Hindi, English
ClassificationSeminar & Articles
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy