SearchBrowseAboutContactDonate
Page Preview
Page 8
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમુખનું નિવેદન શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી માતબર અને અનોખી શિક્ષાગસંસ્થા પોતાની તેજસ્વી કારકિર્દીનો અમૃત મહોત્સવ ઊજવી રહી છે તેને એક ઐતિહાસિક ઘટના નહીં તો બીજું શું કહીશું? ભગવાન શ્રી મહાવીરની કૃપા અને યુગદષ્ટા આચાર્યશ્રી વિજયવલ્લભસૂરીશ્વરજીના આશીર્વાદ જેના પર સતત વરસી રહ્યા છે તેવું આ વિદ્યાતીર્થ સમગ્ર જૈન સમાજ માટે જ નહીં, દેશ માટે પણ ગૌરવ અને પ્રતિકાનું ધામ છે. પ્રત્યેક શિક્ષણપ્રેમી પ્રસન્નતા અનુભવે તેવું આ સરસ્વતીમંદિર છે. આવી અનન્ય સંસ્થાના અમૃત મહોત્સવ પ્રસંગે યોગાનુયોગે હું એ સંસ્થાના પ્રમુખપદે હોઉં તેમાં પ્રભુ મહાવીરની કૃપા જ સમજું છું અને મારી જાતને ધન્ય ગણું છું. વળી આ સંસ્થાના ભૂતપૂર્વ વિદ્યાર્થી હોવાનું પણ મને ગૌરવ છે. - આ તબક્કે એક વસ્તુનો નિર્દેશ કર્યા વગર રહી શકતો નથી અને તે છે “અમૃત મહોત્સવ સ્મૃતિ રથ'ના પ્રકાશનની ઘટનાનો. અલબત્ત, આ સ્મૃતિ ગ્રંથનું પ્રકાશન અને વિમોચન થઈ રહ્યું છે ત્યારે સનિક કાર્યકર અને વિરલ વ્યક્તિત્વ ધરાવનાર સદ્ગત અમરભાઈ જરીવાલા નજર સમક્ષ તરવરે છે. એમનો ઉત્સાહ અને એમની કાર્યશક્તિ અજોડ હતી. વસ્તુત: આ સ્મૃતિ ગ્રંથના સંયોજકની જવાબદારી એમણે સંભાળી હતી પણ કાળદેવતાએ આપણી વચ્ચેથી એમને આકસ્મિક અને અણધારી રીતે ઊંચકી લીધા. એમના અવસાનથી જે ખોટ પડી તેને પૂરવા માટે મેં જે સમાજના અગ્રણી અને વિદ્યાલયના હિતચિંતક શ્રી સી. એન. સંઘવીને કહ્યું અને એમણે આ કર્તવ્ય નિષ્ઠાપૂર્વક બજાવ્યું. એ જ પ્રમાણે પ્રારંભથી જ, સદ્ગત અમરભાઈના સૂચનથી, જેમને આપણે આ સ્મૃતિ ગ્રંથના સંપાદનની જવાબદારી સોંપી હતી તે પ્રસિદ્ધ કવિ, સાહિત્યકાર અને કેળવણીકાર તથા જૈન સમાજના પ્રીતિપાત્ર પ્રા. બકુલભાઈ રાવલના પુરુષાર્થને પણ હું બીરદાવું છું. સંપાદનનું
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy