________________ 35 નિ આગમ સાહિત્ય : એક ઝલક 'સમણસુd માંથી નમૂના તરીકે પ્રસ્તુત છે. અહીં પ્રત્યેક ગાથાનો ગુજરાતી ઘાનુવાદ જ આપવામાં આવે છે. ગાથાને છેડે કૌસમાં મૂકવામાં આવેલ માંક સમણસુત્ત’ માંનો ક્રમાંક સમજવાનો છે: (1) રત્નત્રય જ ‘ગણ” કહેવાય છે. મોક્ષમાર્ગ ઉપર ગમન કરવાને ‘ગચ્છ' કહે છે. સંઘ એટલે ગુણનો સમૂહ અને નિર્મળ આત્મા જ ‘સમય’ કહેવાય છે. (2) જે સમયે જીવ જેવો ભાવ ધારણ કરે છે તે સમયે તે તેવાં જ શુભ અશુભ કર્મો વડે બંધાય છે. (57) (3-4) જ્ઞાનાવરણ, દર્શનાવરણ, વેદનીય, મોહનીય, આયુ, નામ, ગોત્ર અને અંતરાય - સંક્ષેપમાં આ આઠ કર્મો છે. (64-65) (5). આ પુરુષ અનેકવાર ઉચ્ચગોત્ર અને અનેકવાર નીચગોત્રનો અનુભવ કરી ચૂક્યો છે, માટે તેથી નથી કોઈ હીન કે નથી કોઈ અતિરિક્ત (એટલા માટે એણે ઉચ્ચગોત્રની) ઇચ્છા ન કરવી (આ પુરુષ અનેક વખત ઉચ્ચગોત્ર અને નીચ ગોત્રનો અનુભવ કરી ચૂક્યો છે) આવું જાણ્યા પછી ગોત્રવાદી કોણ હોઈ શકે? કોણ માનવાદી હોઈ શકે? (6) દુજે યુધ્ધમાં જે હજારો યોદ્ધાઓને જીતે છે તેની અપેક્ષાએ જે એકલી પોતાની જાતને જ જીતે છે તેનો વિજય પરમ વિજય (125) (7) પરિગ્રહને કારણે જીવ હિંસા કરે છે, અસત્ય બોલે છે, ચોરી કરે છે, મિથુન સેવે છે અને અત્યધિક આસક્તિ કરે છે. (આ પ્રકારે પરિગ્રહ પાંચેય પાપોની જડ છે.) (140) (8) જેને તું હણવા યોગ્ય માને છે તે તું પોતે જ છે. જેને તું આજ્ઞામાં રાખવા યોગ્ય માને છે તે પણ તું પોતે જ છે. (152) 9) જિનેશ્વર દેવે કહ્યું છે - રાગ વગેરેની અનુત્પત્તિ અહિંસા છે અને એની ઉત્પત્તિ હિંસા છે. (153) 10) જે પુણ્યની ઇચ્છા કરે છે એ સંસારની જ ઇચ્છા કરે છે. પુણ્ય સદ્ગતિનો હેતુ (જરૂર) છે. પરંતુ નિર્વાણ તો પુણ્યના ક્ષયથી જ થાય છે. (19)