SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 20 અમૃત મહોત્સવ સ્મૃતિ રથ અનેકાન્ત વાદ ઉપરથી સાંપ્રદાયિક એકાન્તતાનો આગ્રહ ઉઠાવી લઈ તેને તત્વજિજ્ઞાસાના એક પ્રયત્ન તરીકે જોવામાં આવે તો એક રીતે તે સમસ્ત ભારતીય સંસ્કૃતિના પ્રતીકરૂપે સમજાય છે. ઉપર કહ્યું તેમ ભારતવર્ષમાં દર્શનોનો વિકાસ ‘પરસ્પર દબાણ'ને લઈને થયેલો છે. સમપ્રદેશ, સમગ અને સમપ્રજામાં ફેલાતાં ‘વિચાર સંતાન” કેમ અલગ રહી શકે? ભેદની દષ્ટિએ જોઈએ ત્યારે જ આ બધા જુદા દેખાય છે. પણ કોઈ પણ પ્રતીત થતા સત્યને ન છોડી દેવાની દષ્ટિથી સમસ્ત ભારતવર્ષના બૌદ્ધિક વારસાનો વિચાર કરવામાં આવે તો એક જ ‘અનેકાન્ત સંસ્કૃતિ’ ઉત્તરોત્તર ઘડાતી દેખાય છે, જેનું સ્પષ્ટ ભાન કરવું એ વર્તમાન “યુગધર્મ' તરીકે સમજાય છે. આ “અનેકાન્ત સંસ્કૃતિ' સત્યપ્રતીતિમાં ભૌગોલિક મર્યાદાઓ ન જ સ્વીકારે, એટલે પશ્ચિમાદિ દેશોમાં વૈજ્ઞાનિક અને સાત્વિક બુદ્ધિએ જે અનેક “ધમાં નું પ્રતિપાદન કર્યું હોય અને જેમની સત્યપ્રતીતિ થતી હોય તેમની સંગતિ કરે તો જ અનેકાન્તાત્મક વસ્તુઓનું ભાન ઉત્તરોત્તર સમૃદ્ધ થતું જાય! - આ અનેકાન્ત દર્શન ભૌગોલિક મર્યાદા નહિ સ્વીકારે, પણ તે જે પ્રયોજનથી પ્રેરિત થયું છે તેની મર્યાદા તો સ્વીકારશે, અને તે પ્રયોજન તે આત્મદર્શન. શ્રીમદ્રાજચંદ્રના શબ્દમાં: વસ્થાનક સંક્ષેપમાં દર્શન પણ તે સમજાવા પરમાર્થને કહ્યાં જ્ઞાનિયે એહ અને તે પદની સર્વાગતા મોક્ષમાર્ગ નિર્ધાર. અને આત્માર્થી અને જિજ્ઞાસુનું લક્ષણ પણ તેમના શબ્દમાં: કષાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષા ભવે ખેદ અંતર દયા ત્યાં આત્માર્થ નિવાસ તે કહિયે જિજ્ઞાસ. જે અનેકાનાવાદ આ પ્રયોજનથી પ્રેરિત ન હોય અને તેમાં કૃતાર્થ ન થાય તો જૈન દર્શન એવા અનેકાન્તવાદને નહિ સંઘરે; એને મિક જ કહેશે. | ('રજત મહોત્સવ ગ્રંથ'માંથી સાભાર) નોધ : 1. અંગ્રેજી ફિલસૂફીમાં અદ્વૈત Absolute નો કેવી રીતે સ્વીકારે છે તે વિચારવા જેવું છે. સ્થાપક Brodiey પણ સમાન વિચારસરણી
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy