SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ 336 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ કોઈ નદીનો ઇતિહાસ ફંફોળવાની જરૂરત હોતી નથી પણ સંસ્થાનો ઇતિહાસ અને તેના વિકાસને સમજવો એ અતિ મહત્વનું છે. તારીખિયાં ફાટી જાય છે, કેલેન્ડરનાં પાનાં બદલાતાં જાય છે, સમય પોતે કાળના ગર્ભમાં ખોવાયેલો રહેવા છતાં સમયની રેતી પર તે પોતાની છાપ, નિશાની મૂકતો જ જાય છે અને એટલે જ સર્જાય છે એક સિલસિલો, એક કમ, એક કમાનુજમ અને આકાર લે છે એક ઇતિહાસ. આચાર્યશ્રીની પ્રેરણાથી જ્ઞાનની કેડી કંડારવાની વાત જૈન મહાનુભાવોને હૈયે સોંસરવી ઉતરવી, સંસ્થાની સ્થાપના થવી, અગિયાર કર્મનિષ્ઠોનું કાર્યરત થવું, વરસે 102 કલમો ધરાવતું બંધારણ ઘડાઈ જવું, શેઠશ્રી દેવકરણ મૂળજી તરફથી મલાડની જગ્યા આપવાનું સૂચન થવું પણ એ તળ મુંબઈથી દૂર હોવાના કારણે ભાયખાલામાં ૧૯૧૫ની ૧૮મી જૂને લવલેનમાં પંદર વિદ્યાર્થીઓથી પ્રાચીન ધર્મવિધિ પ્રમાણે સંસ્થાનો પ્રારંભ થવો અને તેના એક મહિના પછી શ્રી વસનજી ત્રિકમજીના પ્રમુખપદે 18 જુલાઈ ૧૯૧૫ના દિવસે સંસ્થાને ખુલ્લી મૂકાયેલી જાહેર કરવી : આ બધું ભગવાન મહાવીરની સંસ્થાની શરૂઆત તે બહુ જ સારી થઈ. આચાર્યશ્રીની ઇચ્છા હતી નથી લાગતી. આ માટે ગોવાલિયા ટેંક પર સ્થળ પણ લેવાઈ ચૂક્યું ને વિદ્યાલયના આઠમા વર્ષમાં એટલે કે 13 ડિસેમ્બર ૧૯૩૨ના દિને શ્રી દેવકરણ મૂળજીના શુભહસ્તે ખાતમુહૂર્ત પણ થયું. એ મુહૂર્તમાં સોનારૂપાની રજકણો પથરાઈ. શ્રી મહાવીર જૈન વિદ્યાલયના હાલના મુખ્ય ભવનનું ઉદઘાટન તારીખ 31 ઑક્ટોબર ૧૯૨૫ના રોજ ભાવનગર રાજ્યના દીવાન સર પ્રભાશંકર દલપતરામ પટ્ટાણીના પ્રમુખપદે થયું. પ્રથમ જે ઝરણાંનો કલરવ હતો તે હવે ધીરગંભીર સરિતાનો ઘૂઘવાટ થયો હતો. આરોહ અને અવરોહથી સંગીત સર્જાય છે અને મંથનમાંથી જ અમૃત બહાર આવે છે. શ્રી મહાવીર જૈન વિદ્યાલયની વિકાસગાથામાં નાણાંકીય મુશ્કેલીઓને પાર કરી શકાય તે માટે શેઠશ્રી દેવકરણ મૂળજીના અંતરની કરુણાએ સીમાચિહ્ન સજર્યું. એમણે પોતાના વસિયતનામામાં લખ્યા
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy