SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ 294 અમૃત મહોત્સવ સ્મૃતિ છે 38. જીવનમાં સૂર્યનું મહત્ત્વ - આચાર્ય ભાઈશંકર પુરોહિત બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, ગણપતિ, દુર્ગા વગેરે દેવદેવીઓ કેવળ શ્રદ્ધાનો વિષય છે. આપણી ઈન્દ્રિયો એમનો સાક્ષાત્કાર કરી શકતી નથી. શાસો અને અનુભવી સંતોનાં વચનો પર વિશ્વાસ મૂકી આપણે આ પંચાયતના દેવતાઓની ભક્તિ કરીએ છીએ અને પૂજીએ છીએ. પરંતુ ભગવાન સૂર્યનારાયણ તો પ્રત્યક્ષ દેવ છે. સમગ્ર સૃષ્ટિના કલ્યાણ માટે તે અહર્નિશ સંચરણ કરતા રહે છે. “સૂર્ય માત્મા ન તિતસ્થષશા” સૂર્ય આ સમસ્ત સ્થાવર-જંગમ જગતનો આત્મા છે. અર્થાત્ જેમ આત્મા વિના શરીર નિચેટ અને જડ થઈ જાય છે, ટૂંક સમયમાં દુર્ગધભર્યું બની સડી જાય છે અને નાશ પામે છે, તેમ સૂર્ય વિના આ સમસ્ત ચરાચર વિશ્વ નાશ પામે છે. “પુનું સવને ધાતુથી સૂર્ય શબ્દ બને છે. એનો અર્થ છે ઉત્પન્ન કરનાર, સર્જનશીલ સૂર્યથી જ સમગ્ર સંસાર પેદા થાય છે, સૂર્યથી જ પોષાય છે અને સૂર્યથી જ જીર્ણશીર્ણ થઈ વિનાશ પામે છે. સૂર્યને ઋષિમુનિઓ પરમેશ્વરનું પ્રગટ રૂપ કહે છે. કોઈ વળી સૂર્યને પરમાત્માનું નેત્ર કહે છે. સૂર્યરૂપી નેત્રથી પરમાત્મા આ સમગ્ર વિશ્વને નિહાળે છે અને એને પ્રાણવાન રાખે છે. માટે જ શુકલયજુર્વેદનો ઋષિ બેધડકપણે સૂર્યને જ પરમ પુરુષ કહે છે ને એને યથાર્થપણે જાણવાથી જ મૃત્યુનું અતિક્રમણ કરી શકાય છે, એમ વદે છે. સૂર્યની કૃપા વિના મૃત્યુથી મુક્ત થવું શક્ય નથી; પ્રકાશપુંજ સૂર્ય જ જીવને અંધકાર અથવા અજ્ઞાનથી છોડાવે છે. આ વેદાન્ત પુરુષ महान्तं आदित्यवर्णं तमसः परस्तात्। तमेव विदित्वा ऽतिमृत्युमेति नान्यः पन्था विद्यते ऽयनाय॥ शु.य. अ. 31 मंत्र 8. असतो मा सद्गमय।
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy