SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ 223 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ સાથે જ માટીનાં રમકડાં બનાવવા બેસી જાય છે અને લિપિના અારોના આકારનાં માટીનાં રમકડાં બનાવી અક્ષરદાન આપે છે. આચાર્યની આ બુદ્ધિને વનચિકી બુદ્ધિ ગણાવી છે. અહીં પણ જોઈ શકીએ છીએ કે સામી વ્યક્તિ પાસે કુનેહથી ધાર્યું કામ કઢાવવું તે વૈનાયિકી બુદ્ધિનું કાર્ય છે. અહીં મોન્ટેસોરી પદ્ધતિનાં મૂળ ભારતમાં દશમી સદીમાં જવા હોય તો જોઈ શકાય. ખૂબ ધનવાન બનેલા આચાર્યનું રાજા કાટલું કાઢવાનો કારસો રચી જમવા બોલાવે છે, ત્યારે રાજકુમારો ધોતિયું સૂકું હોવા છતાં ભીનું છે કહી, ડાબીબાજુ કળશ ઊંધો કરી આવનાર ભયથી ગુરુને ચેતવે છે. એમાં પણ વનચિકી બુદ્ધિ દર્શાવી છે. રાજા આકરી કર પ્રજાના માથે ઝીક છે ત્યારે અધિકારી સોનાના ભાવ બે-ત્રાગ ગાગા વધવાના હોઈ સોનાના રૂપમાં થોડું સોનું લઈ, ભાવવધ્યા પછી તે સોનું વેચીને રાજના કરની રકમ જમા કરે છે. આથી રાજાની આજ્ઞાનો ભંગ થતો નથી એ સાથે જ પ્રજા પરના કરબોજ પાગ હળવો થાય છે. આ કથા ગણિતવાર આપે છે. આમ વિવિધ કથાનકોના જે મુખ્ય ઘટકો છે, પાત્રો છે. તેને આધારે આ પ્રકારનાં કથાનકોનાં વારનાં નિમિત્ત, અર્થ, લેખ વગેરે નામાભિધાન થયાં છે ને એ અનુષગે ચાતુર્યનાં કથાનકો સંપાદિત થયાં છે. - બુદ્ધિનો ત્રીજો પ્રકાર ને કાર્મિકી બુદ્ધિ, એનાં લક્ષણ અને વિવરણમાં દર્શાવ્યું છે કે જે કામ કરવા ધાર્યું હોય એ કામનો બરાબર અભ્યાસ કરીને અંતે કાર્યસિદ્ધિ મળે ન એથી સારું કર્યું એવી પ્રશંસા મળે તે કાર્મિકી બુદ્ધિ કહેવાય. આના ઉદાહરણરૂપ સોની, ખડૂત, સાલવી, પીનાર, મોતી પોવનાર, ધી ઉમરનાર, નરનાર, તુગનાર, સુથાર, કંદોઈ, કુમાર, ચિત્રકાર એમ 12 દષ્ટાંતો આપવામાં આવ્યાં છે. એકન એક કામ વારંવાર કરવાથી, અર્થાત અભ્યાસથી માણસમાં ચોકકસ કામ કરવાની બુદ્ધિશક્તિ પ્રગટે છે, સિદ્ધ થાય છે. આ પ્રકારની કાર્ય કરવાની શક્તિ છે જેમાંથી મળે છે તે ચિત્તશક્તિને અહીં કાર્મિકી બુદ્ધિ તરીકે ઓળખાવી છે. આ પ્રકારનાં દષ્ટાંત, છાણાવટ અને વિવરાગ હોય પરંતુ એટલા પ્રમાણમાં કથાનકો ને હોય એ સમજી શકાય એવું છે. અહીં કયા પ્રકારના કારીગરમાં કેવી કેવી કાર્ય નિષ્પન્ન કરવાની શક્તિ હોય છે તે દર્શાવ્યું છે તે સાથે એક ચોરની રોચક કથા પણ આપી છે. ચોરે ધનિકના ઘરે આ પત્રના પત્રાકારવા
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy