SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ 1. તમસો માં જ્યોતિર્ગમય - પંન્યાસ પ્રવર શ્રી હેમરત્નવિજયજી ‘તમસો માં જ્યોતિર્ગમય' ઉપનિષદોમાં લખાયેલા આ પ્રસિદ્ધ વાક્યનું ગુજરાતીમાં ભાષાંતર થયું છે, કાવ્યસ્વરૂપે તેનું અવતરણ થયું છે: “ઊંડાં અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા.' અનંતની મુસાફરીએ નીકળેલ આ આત્મા અજ્ઞાનના અંધકારમાં કુટાતો હોય છે. એને પ્રકાશનું ભાન નથી. અજ્ઞાનનો અંધકાર જ્ઞાન જ ટાળી શકે. બાળક જ્યારથી સમજણું થાય ત્યારથી તેને વિદ્યાપીઠમાં દાખલ કરવામાં આવે છે. જેમ જેમ સમજ વધતી જશે તેમ તેમ જ્ઞાન વધતું જશે. અજ્ઞાનનો અંધકાર દૂર હડસેલાતો જશે. શૈશવ, કિશોરવયમાં શરીરના બધા અવયવો તાજ, નરવા અને વિશુદ્ધ હોય છે. એમાં જેવા સંસ્કાર નાખવા હોય તેવા નાખી શકાય છે. શિક્ષણનું કાર્ય મોટે ભાગે નાની ઉંમરે જ વધુ સારી રીતે પાર પાડી શકાય, મોટી ઉમરે લોકો કહે છે કે પાકે ઘડે કાંઠા ન ચડે.” કવિ કાલિદાસકૃત 'રઘુવંશ' મહાકાવ્યમાં મનુના વંશજોનું વર્ણન કરતી રસ્તે જીવન સર વિભાગ) દર્શાવ્યા છે. એમાં પ્રથમ વિભાગમાં જણાવ્યું છે કે “શૈશવે અભ્યસ્ત વિદ્યાનાં.' આ શૈશવકાળમાં વિદ્યા ભણવાનું કામ કરતા. કલિકાલ સર્વજ્ઞ જૈનાચાર્ય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજ, બપ્પભટ્ટી સૂરીશ્વરજી મહારાજ, મહોપાધ્યાય યશોવિજયજી મહારાજ આદિ અનેક મહાપુરુષોમાં બાલ્યવયે પ્રચંડ મેધા, બુદ્ધિ અને પ્રતિભા હતી. વજ સ્વામી જેવા વિરલ અને વિશિષ્ટ કહી શકાય એવા એક આજીવન સન્યાસીને ગર્ભકાળથી વૈરાગ્યનાં એંધાણ હતાં. ઘોડીયામાં સૂતાં સૂતાં તેમણે જૈનોના 11 અંગો કંઠસ્થ કરી લીધાં હતાં. ત્યારે તેમની ઉંમર માત્ર ત્રણ વર્ષની હતી. ધોરણ 1 થી
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy