SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ 175 અમૃત મહોત્સવ સ્મૃતિ ગ્રંથ શિક્ષણ સંસ્થાની એકદર આકૃતિ પ્રવર્તમાન સામાજિક-આર્થિક અને રાજકીય પ્રવાહને સુસંગત જ છે અને જીવનનાં મૂળભૂત મૂલ્યોને આ પ્રવાહ ક્યારેય સપર્શી શક્યો નથી. સમાનતા અને સમાન તકની વાત કેવળ તાત્વિક સ્તરે જ રહી છે. શિક્ષણની કરુણતા એ છે કે અસમાન અને સમાનને એક સરખી રીતે સારવાર અપાય છે. ખરેખર તો બધા જ નૈતિક પ્રથો જેવા કે ગરીબાઈ, બેકારી, ગુન્હાહિત માનસ યા પ્રમાદી માનસ આ બધું જ સમાજની સમગ્ર વ્યવસ્થા અને એ વ્યવસ્થામાં રહેલ આંતર વ્યવહાર પર જ આધારિત છે. આ સંદર્ભમાં જેને આપણે નીતિ કહીએ છીએ એ કેવળ સામાજિક ઘટના છે. શિક્ષણ બ્રિટીશ કાળથી સમાજ અને તેનાં સંસ્કારી મૂલ્યોથી વંચિત રહ્યું છે. તાટસ્થ વૃત્તિથી શિક્ષણ વ્યવહાર આજ સુધી ચાલુ રહ્યો છે. આ વ્યવહાર સંસ્થાનવાદીની દેણ છે. શિક્ષણ પરીધમાં સામાન્ય માણસ હજી સુધી પ્રવેશી શક્યો નથી કારણ સામાન્ય માણસને સ્પર્શતા શિક્ષણ વ્યવહારની કલ્પના સરખી પણ નથી થઈ. મહાત્મા ગાંધીએ સંસ્થાનવાદી શિક્ષણ પ્રથા સામે આક્રોશ ઠાલવી સામાન્ય માણસના ધંદા-ઓજાર અને વ્યવહારને શિક્ષણ પદ્ધતિમાં સમાવિષ્ટ કરવાનો આગ્રહ સેવ્યો. જો કે આ આગ્રહને કેવળ સંપ્રદાયમાં ફેરવી નાખવામાં આવ્યો છે. આથી સામાન્ય માણસનો વ્યવહાર અને જનજીવન શિક્ષણથી સાવ વેગળું રહ્યું. આવા વ્યવહારે લોકશાહી પ્રજાસત્તાકમાં કેટલાય વિરોધાભાસો પેદા કર્યા; જેમ કે લોકશાહી અને અહોભાવયુક્ત અધિકાર, ટોળાશાહીનો આદર અને વ્યક્તિનો અનાદર, વૈરાગ્યવૃત્તિ અને ગ્રાહકવૃત્તિ, ઉપલાવર્ગની સાહસિકતા અને જે લોકોને બે ટંક ખાવાના સાંસા છે એવા લોકો માટે બિન ઉત્તેજનાત્મક માહોલ. હાલની શિક્ષણપ્રથા બ્રોક્રિટસના હોદ્દા ધરાવનારી પ્રથા છે અને એ આપણા જ્ઞાતિ અને વર્ગ આવરિત તરિકરણવાળી સમાજ વ્યવસ્થામાં ઠીક ઠીક બંધ બેસતી આવી ગઈ છે. આથી આ શિક્ષણપ્રધા એ જ્ઞાતિ અને વર્ગના પ્રતિનિધિત્વવાળી પ્રથા બની રહી છે. આ પ્રકારના માહોલમાં વ્યાવસાયિક હોદાપ્રાપ્તિ માટેનું શિક્ષણ એ એક માત્ર સાધન બની રહ્યું. હોદ્ધ ધરાવતા સામાજિક સંસ્કારમાં શિક્ષણ એક સહભાગી સંસ્થા બની. આમ થવાથી અસમાનતા એ શિક્ષણ સંસ્થાના મૂળમાં છે અને આથી જ બંધારણીય સમાનતાના આદર્શ સાથે વિરોધાભાસી વ્યવહાર સૂચવે છે. શૈક્ષણિક અસમાનતા એ સામાજિક સ્તરીકરણનું પ્રતિબિંબ છે. ઉત્પાદન
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy