SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ 150 અમૃત મહોત્સવ સ્મૃતિ પર જે શહેરમાં છાત્રાલય હોય એ શહેરના વિદ્યાર્થીને પ્રવેશ ન આપવાની નીતિ કેટલાંક છાત્રાલયોએ અપનાવી છે. એ જ તર્કથી ઓછા ગુણ મેળવનારને છાત્રાલયમાં પ્રવેશ આપવાનું વિચારી શકાય અને એની નબળી શૈક્ષણિક કારકિર્દીને ઊકળી બનાવવાની તક આપી શકાય. એવા વિદ્યાર્થીઓ માટે તો છાત્રાલયની ખાસ જરૂર છે. હજુ પ્રશ્ન એટલેથી પૂરો થતો નથી. આ બધું છતાં (ગુણવત્તાના ધોરણે પ્રવેશ આપવાની નીતિ ત્યજીને પ્રત્યેક વિદ્યાર્થીને પ્રવેશ આપવા છતાં) હવે છાત્રાલયોમાં છાત્રોની સંખ્યા નહિવતું નગણ્ય રહે છે, રહેશે. એટલે ઓછા વિદ્યાર્થીઓના કારણે વિદ્યાર્થીદીઠ માસિક કે વાર્ષિક સરેરાશ ખર. ઘણો વધારે આવે અને આર્થિક અને સામાજિક ક્ષમતાની દષ્ટિએ તે વાજબી ન ગણાય. એટલે કાં તો આવાં છાત્રાલયો બંધ કરવાં પડે અથવા એનો વિકલ્પ શોધવો પડે એવી પરિસ્થિતિ કેટલીક જગ્યાએ તો કયારનીયે આવી ગઈ છે. કારણ સમાજનું છાત્રાલયમાં થયેલું રોકાણ નિરર્થક (Idle) પણું રહે તે વાજબી નથી. મહુવાની એક જ્ઞાતિના છાત્રાલયના મકાન અને જમીન સહિત મિલકતનું વેચાણ કરીને ઉપજેલ રકમમાંથી ગુજરાતના અન્ય છેડે (કદાચ મહારાષ્ટ્રમાં-ગુજરાતના છેડે?) એ જ જ્ઞાતિનું છાત્રાલય ઊભું કરવાની વિચારણા થઈ હતી. ભાવનગર જિલ્લાના મહુવા શહેરમાં વિવિધ જ્ઞાતિઓના ડઝન ઉપરાંત છાત્રાલયો છે તેમાં વત્તેઓછે અંશે આવી પરિસ્થિતિ છે. કદાચ, એ મહુવા તાલુકાની પ્રગતિશીલ નેતાગીરીને આભારી છે. આમ હું એટલા માટે કહું છું કે મહુવા તાલુકાના મહત્ત્વનાં ગામડાંઓમાં શાળાઓ સ્થપાઈ ચૂકી છે. એટલે મહુવા શહેરના છાત્રાલયોમાં પોતાના સંતાનોને અભ્યાસ માટે મોકલવાનું ગામડાના મા-બાપ કે વાલીઓને કોઈ કારણ રહ્યું નથી. વળી, ઉજળિયાત કોમ અને પ્રગતિશીલ ખેડૂતો કે અન્ય વ્યક્તિઓએ સુદ્ધાં શહેરીકરણનો ઝોક અપનાવ્યો છે. એટલે તે કારણે પણ છાત્રાલયની એમનાં સંતાનો માટે જરૂરિયાત રહી નથી. અન્યત્ર કદાચ આવી પરિસ્થિતિ ન યે હોય. પરંતુ છાત્રાલયોના સંચાલકોને, વહેલું કે મોડું આવી પરિસ્થિતિનો સામનો કરવાનો સમય આવશે એ નિ:શંક છે. મુંબઈ જેવા શહેરમાં ઉચ્ચ શિક્ષણ માટેનાં છાત્રાલયોમાં વિદ્યાર્થીઓની પૂરતી સંખ્યા મેળવવાનો પ્રશ્ન છે જ. એનું કારણ, ગુજરાત અને મહારાષ્ટ્રના
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy