SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ 84 શત્રુંજય તીર્થોદ્ધારના પ્રતિકાતા સૂરિવરનું વંશવૃા સારભાગમાં મૂળ પ્રબન્ધ'ની પંક્તિઓને વાંચવામાં એનો અર્થ કરવામાં ભૂલ થઈ હોવાનું દેખાય છે. ક્યાંક સરતચૂક પાણ થઈ. કયાંક 'પ્રબન્ય' પાગ અસ્પષ્ટ છે અને આ બધાં કારણોથી વિસંગતિઓની જાળ સર્જાઈ ‘પ્રબન્ધન સંબંધિત ભાગ આ પ્રમાણે છે. વિવેકમંડન અને વિવેકથીર વિશે એ કહે છે કે વિવેકતો મઠન ધીરસંશો શિબી કમાન પાઠકપહિતી હિ, પૂિિર્નયુનાવય સૂત્રધારશિક્ષાવિધી વાસ્તુશાસ્ત્રવિણી. (2,84) એટલે કે વિવેકમંડન પાઠક હતા અને વિવેકથીર પંડિત હતા. બન્ને શિષ્યો વાસ્તુશાસ્ત્રના જાણકાર હતા. એમને પૂજ્ય’ સૂત્રધારો-શિલ્પીઓને માર્ગદર્શન પૂરું પાડવા નિયુક્ત કર્યા. સારભાગમાં ‘પાઠકવ નિયુક્ત કર્યા અને એ એમના પોતાના” શિષ્ય હતા એમ કહ્યું છે પણ પૂજ્ય એટલે સામાન્ય રીતે વિદ્યામંડનસૂરિ (સમજાય, કારણકે) વિનયમંડન 'પ્રબન્ધ'માં સર્વત્ર પાઠક તરીકે જ ઉલ્લેખાયા છે, અને વિદ્યામંડનસૂરિ આ વખતે ગચ્છનાયક હોવાનો સંભવ છે. 'પ્રબન્ધ'ને અંતે એમને ‘ભટ્ટારક' કહેવામાં આવ્યા જ છે. “ભટ્ટારકશ્રી વિદ્યામંડનસૂરિભિઃ પ્રતિષ્ઠિતા મૂળનાયકપ્રતિમા ઈતિ.” (પૃ. 32) ધર્મરત્નસૂરિએ કર્મા શાહ શત્રુંજયનો ઉદ્ધાર કરશે એવું ભાવિ ભાખેલું, પણ શત્રુંજય ઉદ્ધારના આ આખા પ્રસંગમાં એ કયાંય દેખાતા નથી. ગુજરાતના સુલતાન બહાદુરશાહ પાસેથી શત્રુંજય ઉદ્ધારની પરવાનગી મળ્યા પછી કમ શાહ પત્ર લખે છે તે વિદ્યામંડનસૂરિ અને વિનયમંડન પાઠકને, ધર્મરત્નસૂરિને નહીં. એટલે ધર્મરત્નસૂરિ ત્યારે હયાત નહીં હોય એમ સમજાય છે. ધર્મરત્નસૂરિના પ્રતિમાલેખો સં. 1566 સુધીના જ મળે છે (જૈન ગુર્જર કવિઓ ભા. 2, પૃ. 70) અને બહાદુરશાહ ગાદીએ આવ્યા સં. 1853 માં તથા શત્રુંજ્ય ઉદ્ધાર થયો સં. ૧૫૮૭માં એટલે શત્રુ ઉદ્ધાર વખતે ધર્મરત્નસૂરિ 'પ્રબન્ધ'માં પૂજ્ય વિવેકમંડન અને વિવેકથીરને નિયુક્ત કર્યા એમ છે. પણ એ એમના શિષ્યો હોવાની કોઈ સ્પષ્ટતા નથી. માત્ર ‘શિષ્યો' કહ્યા છે, પોતાના શિષ્યો’ નહીં. આ વખતે વિદ્યામંડનસૂરિ તો હજુ શત્રુંજય આવેલા નહતા પરંતુ ગચ્છનાયક તરીકે એમાણે આ નિયુક્તિ કરી હશે. પછીથી 'પ્રબન્ધ'માં વિવકમંડન અને વિવેકથીર વિશે સ્પષ્ટતાવાળા ઉલ્લેખો મળે છે. વિદ્યામંડનસૂરિને પ્રતિષ્ઠા માટે આમંત્રણ આપવા રત્ના શાહ ગયા
SR No.012087
Book TitleMahavir Jain Vidyalay Amrut Mahotsav Smruti Granth
Original Sutra AuthorN/A
AuthorBakul Raval, C N Sanghvi
PublisherMahavir Jain Vidyalay
Publication Year1994
Total Pages408
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy