SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ = = ૫. પ્રભુદાસ બેચરદાસ પારેખ અભિનંદન થે : કતવ્ય દશ આ વ્યવસ્થા વિના થતે ખર્ચ સંગીન પરીણામ નિપજાવી શકતો નથી, નિપજાવી શકશે નહીં. આ આપણી પ્રાચીન શૈલી પણ છે. આ ઉપરાંત-શ્રી સંઘે એક એવે વર્ગ તૌયાર કરવો જોઈએ કે-જેમ મલવાદી મહારાજ ભોંયરામાં ભણીને તૈયાર થયા અને પછી વલ્લભીપુરમાં બૌદ્ધવાદીને હરાવીને-ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાંથી કાઢી મૂકાયેલા છે. મૂ. જેનેને–પાછા લાવી શકયા હતા. તેવી રીતે-સર્વ ધર્મ પરિષદ-અને વિશ્વધર્મ પરિષદના ઘંઘાટે બંધ પડે, તેઓના પ્રયાસના પરિણામે ન છૂટકે જે આવવાના હોય તે આવી જાય, ત્યાર પછી પણ નીચે પ્રમાણે તૈયાર થયેલા મુનિ મહાત્માઓ-જૈન ધર્મને પ્રતાપ જગતમાં ફેલાવી શકે, તેવા તૈયાર કરવા જોઈએ, અને તેને ક્રમ નીચે પ્રમાણે - ૧. નાની ઉમ્મરના બાળ અને કુળવાન શ્રાવક પુત્રને વૈરાગ્ય વાસી કરી દીક્ષિત બનાવવા જોઈએ, અને તે માટે સારા સારા કુટુંબેએ પોતાના પુત્રે સેંપવા જોઈએ. સેવાભાવના વાળા રિછક રીતે સમર્પિત થવા જોઈએ. ૨. તેઓને એવા શાંત અને એકાંત વાતાવરણમાં રાખવા જોઈએ, કે જેથી-તેઓ ઉપર દુનિયાના ઝેરી વાતાવરણની અસર ન થાય. ૩. તેમના ખાનપાન અને જાળવણીની એવી ગોઠવણ થવી જોઈએ કે–તેઓને રોગ તે ન થાય, પરંતુ શરીર એવા સુદઢ અને શાંત ઠંડા વીર્યથી ગુંથાઈ જાય, કે–તેઓ લગભગ ઉર્ધ્વરેતા યોગી જેવા બની જાય. [ ગ્ય પ્રયાસથી બની શકે છે. ] તેઓની તથા પ્રકારની દૈનિક યોજનાઓ અને મુનિ દ્વારા સગવડો આપવાની એવી સુંદર યેજના હેય, કે તેઓને વિકાસ જ થતું રહે, કઈ પણ જાતની ત્રુટી તેમને ન જણાય. જે જોઈએ તે તેમની પાસે વગર વિલંબે હાજર થવું જોઈએ. પરંતુ એટલું ખરૂં કે-તે સર્વ, મુનિ જીવનના ધોરણે જ લેવું જોઈએ. તેઓને એવા અષ્ટયાન રાખવા જોઈએ કે–તેઓનું અખંડ બ્રહ્મચર્ય છંદગી ભર નભી શકે અને વૈરાગ્ય વાસનાને દીપક સદા પ્રજવલિત રહે. કદી ક્ષતિ થવાનો સંભવ ઉભું ન થાય. શાસનભકિત અને આર્ય સંસ્કૃતિ તરફનું વલણ ઠેઠ સુધી જાગતું રહે, તેવી ગોઠવણ પણ કરવી જોઈએ. ૬. એવી એક-નાની પણ સંગીન સંખ્યાને-દરરેજ મુખ્ય મકાનના ત્રણ વિભાગમાંથી કે ત્રણ જાતના આદર્શ પુરુષોના પરિચયમાંથી પસાર થવા દેવી જોઈએ. એટલે કે સમ્યગ્ગદર્શન વિભાગ, સભ્ય જ્ઞાન વિભાગ-અને સમ્યક્ ચરિત્ર વિભાગમાંથી. ૧ લા વિભાગમાં–શાસનને હરકત કરતા દુનિયામાં શું શું બની રહ્યું છે? તેને સંગીન અને વ્યવસ્થિત સાચે અનુભવ મળ્યા કરે, અને તેને માટે શા શા પ્રતિકાર છે? ૭૭૭
SR No.012081
Book TitlePrabhudas Bechardas Parekh Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorHarshpushpamrut Jain Granthmala
PublisherHarshpushpamrut Jain Granthmala
Publication Year
Total Pages206
LanguageGujarati, Hindi, Sanskrit
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy