SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ 13 જેનદર્શનમાં પરમાણુ-વિજ્ઞાન સમજૂતી આપતાં જૈન ધર્મગ્રંથોમાં તેના વૃત્તિકાર આચાર્ય ભગવંતો દીવાના પ્રકાશનું ઉદાહરણ આપે છે. જેમ કે એક ઓરડામાં એક નાનકડો દીવો પ્રગટાવવામાં આવે તો સમગ્ર ઓરડામાં તેનો પ્રકાશ ફેલાઈ જાય છે. હવે તે જ ઓરડામાં એવા ૨૦-૨૫ સેંકડો દીવા પ્રગટાવવામાં આવે તો ઓરડાની દીવાલો ઉપર અને ઓરડામાં દરેક જગ્યાએ બધા દીવાનો પ્રકાશ હોય છે, પરંતુ કોઈ એક જગ્યાએ કેવળ એક જ દિવાનો પ્રકાશ હોય એવું બનતું નથી. મધ્ય પ્રદેશના પ્રો. પી. એમ. અગ્રવાલના જણાવ્યા પ્રમાણે એક જ આકાશપ્રદેશમાં અનંત પરમાણુઓનું અવસ્થાન તથા તે જ રીતે મોક્ષમાં સમાન આકાશપ્રદેશોમાં અનંત આત્માઓનું અવસ્થાન બોઝ-આઇન્સ્ટાઇન સ્ટેટિસ્ટિક્સ દ્વારા સમજાવી શકાય છે. ડૉ. પ્ર. ચુ. વૈદ્ય સાહેબનું સંશોધન પણ જૈનદર્શનના પુદ્ગલ-પરમાણુ સિદ્ધાંતનું સમર્થન કરે છે. તેઓના સંશોધન પ્રમાણે કિરણોત્સારી તારા કે સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ તેટલા જ દ્રવ્યમાન તથા કદવાળા સામાન્ય અર્થાત્ કિરણોત્સર્ગ નહિ કરતા તારા કરતાં ઓછું હોય છે. આની ગણતરી તેઓએ ગાણિતિક સમીકરણો દ્વારા આપી છે. જૈનદર્શન પ્રમાણે શક્તિ એ ગુણ છે અને ગુપચવવું દ્રમ્ (ગુણ તથા પર્યાયવાળું હોય તે દ્રવ્ય) (તત્ત્વાર્થસૂત્ર, અધ્યાય ૧, સૂત્ર - રૂ૭) અનુસાર તે દ્રવ્યમાં રહે છે અને જે પુદ્ગલ મૂર્ત/રૂપી દ્રવ્ય છે તેને દ્રવ્યમાન (mass) અવશ્ય હોય છે. પ્રકાશનાં કિરણો પણ દ્રવ્ય છે, ગુણ નથી. ફિર TML ન, દ્રવ્યમ્ ! એ દ્રવ્યમાં જ શક્તિરૂપી ગુણ છે એટલે કિરણોત્સારી તારા કે સૂર્ય પ્રકાશ ફેંકે છે, ત્યારે વસ્તુતઃ તેમાંથી સૂક્ષ્મ કણો જ બહાર ફેંકાય છે. આ સૂક્ષ્મ કણોને પણ દ્રવ્યમાન હોય છે અને તે જેમાંથી બહાર ફેંકાતા હોય છે, તેના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં આવેલ પદાર્થ ઉપર અથડાય છે અને તેની ગતિમાં અથવા જે તે તારા કે સૂર્ય તરફના આકર્ષણમાં ઘટાડો કરે છે. અલબત્ત, આ ઘટાડો પ્રકાશના નજીવા વેગમાન (momentum spamv=mc) અનુસાર સાવ નજીવો હોય છે. આવા સાવ નગણ્ય કહી શકાય તેવા ઘટાડાનું ગણિત ડૉ. પ્ર.ચુ. વૈદ્ય સાહેબે આપણને આપ્યું છે. આમ છતાં હજુ આજે પણ આધુનિક ભૌતિકશાસ્ત્ર ફોટૉનને શૂન્ય દ્રવ્યમાનવાળા માને છે. આધુનિક ભૌતિકશાસ્ત્ર એમ માને છે કે સૂર્ય વગેરે કે તેથી અધિક દ્રવ્યમાનવાળા તારાઓના વધુ પડતા ગુરુત્વાકર્ષણ બળના કારણે તેની આસપાસનું આકાશ સંકોચાય છે અને તેમાંથી પસાર થતા પદાર્થનો માર્ગ થોડો વક્રાકાર બને છે. વસ્તુતઃ જૈન દાર્શનિક માન્યતા પ્રમાણે આકાશ એક અખંડ દ્રવ્ય છે, તે અપૌલિક છે તથા નિષ્ક્રિય અને નિર્ગુણ છે. અલબત્ત, નૈયાયિકો શબ્દને આકાશનો ગુણ માને છે, પરંતુ જૈનદર્શન શબ્દને સંપૂર્ણતઃ પૌદ્ગલિક માને છે અને તે આધુનિક વૈજ્ઞાનિક ઉપકરણો દ્વારા પણ સિદ્ધ થઈ શકે છે એટલે જૈન દાર્શનિક માન્યતા પ્રમાણે નિર્ગુણ અને નિષ્ક્રિય એવા આકાશ ઉપર કોઈ પણ પદાર્થના ગુરુત્વાકર્ષણ બળની જરા પણ અસર થતી નથી, પરંતુ તેના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાં આવતા પૌલિક પદાર્થો ઉપર તેના ગુરુત્વાકર્ષણ બળની અસર થાય છે અને તે પદાર્થ – સૂર્ય કે તારો – કિરણોત્સર્ગ કરતો હોય તો, તે કિરણોત્સર્ગ તે જ પદાર્થના ગુરુત્વાકર્ષણ બળમાં ઘટાડો કરે છે. આ ઘટાડો પ્રકાશ/ફોટૉનના સ્વરૂપમાં જે શક્તિનું ઉત્સર્જન તારો કે સૂર્ય કરે છે, તે શક્તિ અર્થાત્ ફોટૉનને પણ દ્રવ્યમાન હોવાનું સિદ્ધ કરે છે.
SR No.012079
Book TitleMahavir Jain Vidyalay Shatabdi Mahotsav Granth Part 02
Original Sutra AuthorN/A
AuthorKumarpal Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year2015
Total Pages360
LanguageGujarati, Hindi, English
ClassificationSmruti_Granth
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy