SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ TY શ્રી મેહનલાલજી અર્ધશતાબ્દી ગ્રંથ: સુપાસનાચરિયની હસ્તલિખિત પિથીમાંનાં રંગીન ચિત્રો પ્રતિની પુપિકામાં એ જણાવવામાં નથી આવ્યું કે પ્રતિમાંનાં ચિત્રો હીરાણંદમુનિએ પિતે આલેખેલાં છે કે કોઈ નિષ્ણાત ચિત્રકારે આલેખેલાં છે. સંભવતઃ હીરાણુંદના આલેખેલાં ચિત્રો નહિ હોય. છતાં એ પ્રશ્ન સામાન્ય રીતે અણઉકેલ્યા જ ગણાય. | ચિત્રોની લંબાઈ પહોળાઈ વધારેમાં વધારે દાઝ૪ ઈંચની છે અને ઓછામાં ઓછી ૩૪૪ ઇંચ છે. મોટા ભાગનાં ચિત્રો ૩૮૪ ઈંચનાં છે. કેઈ કઈ ચિત્ર કાઝ૪ ઈંચના પણ છે. ચિત્રોમાં લાલ, લીલો, પીળા, આસમાની, ગુલાબી, કાળો, સફેદ, સેનેરી અને રૂપેરી એમ નવ રંગનો ઉપયોગ કરવામાં આવ્યું છે. રંગોની બનાવટ મિશ્રણ અતિશ્રેષ્ઠ હોઈ પ્રતિ પ્રાચીન અને તે સાથે જીર્ણ થવા છતાં રંગોની ઝમક અને તેનું સૌષ્ઠવ આજે પણ આંખને આકર્ષે છેઆપણે ત્યાં પ્રાચીન કાળથી ઘણા ઘણુ રંગનું નિર્માણ અને તેને ઉપયોગ થતો હતો, જેનું ભાન આપણને પ્રાચીન ગ્રંથમાંના ચિત્ર અને પ્રાચીન ચિત્રપટ્ટિકાઓના દર્શનથી થાય છે. આ રંગો મુખ્યત્વે વનસ્પતિ, માટી અને ધાતુઓમાંથી બનતા હતા. જેને લગતા ઘણું ઘણા ઉલ્લેખ આપણને પ્રાચીન ગ્રંથોમાં અને ખાસ કરીને વિપ્રકીર્ણ પ્રાચીન પાનાંઓમાંથી મળી આવે છે. આવા કેટલાક ઉલ્લેખની નેંધ મેં ભાઈ સારાભાઈ નવાબ સંપાદિત “ચિત્રકલ્પદ્રમ”માંના મારા “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને જૈન લેખનકળા” નામના અતિવિસ્તૃત લેખમાં આપી છે. તે પછી આને લગતા બીજા કેટલાય ઉલેખો મળી આવ્યા છે. આથી ચિત્રકળા આદિ માટે ઉપયોગી રંગ બનાવવાની કુશળતા આપણે ત્યાં કેટલી અને કેવી હતી તેને આપણને ખ્યાલ આવી શકે છે. પ્રાચીન ચિત્રકળાના નિર્માણ સામે આજની કેટલીક વિધવિધ માન્યતા, કલ્પના અને તઆક્ષેપ હોવા છતાં આ ચિત્રના નિર્માણમાં એક વિશિષ્ટ પરંપરા હતી, એમાં તે જરાય શંકાને સ્થાન નથી. એ નિર્માણ પાછળના કેટલાક ખ્યાલો વીસરી જવાને કારણે એ ટીકાસ્પદ બને. એ કાઈ ખાસ વસ્તુ ન ગણાય. એટલે પ્રસ્તુત ચિત્રોનું નિરીક્ષણ કરનારે અમુક વિશિષ્ટ દૃષ્ટિએ તેનું અવલોકન કરવું જોઈએ. આ ચિત્રો આપણું પ્રાચીન રીતરિવાજે, સંસ્કૃતિ, વેષ-વિભૂષા આદિ અનેક બાબતે ઉપર વિશિષ્ટ પ્રકાશ પાડે છે, એ એક ખાસ ધ્યાનમાં રાખવા જેવી વસ્તુ છે. આટલું ટૂંકમાં જણાવ્યા પછી હવે પ્રતિમાં જે ક્રમે ચિત્રો અને તેને પરિચય નેંધાયેલ છે તેને ઉતારો આ નીચે આપવામાં આવે છે: पत्र-पृष्ठ चित्रांक चित्रपरिचय ૨-૨ १. श्रीसुपार्वजिनः ૨-૨ २. श्रीसरस्वती देवी ૨-૨ ३. गुरुमूर्ति ૨૨-૨ ४. प्रथम भव । मध्यम उवरिम प्रिवेके भोग्य ૨૧- ५. भाद्रपद बहुलाष्टमी सुमिनानि पश्यति २५-२ ६. गादि चतुर्दश सुमिमानि १४ ૨૭-૨ ૭. રાના શ્રીગુપટ્ટ | Rાગા સુપિનાનિ થયા રાસ ! ૨૮-૧ ७. चारणमुनि सुप्नफलं विचारयति । राजा सुपइठ सुणति । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012077
Book TitleMohanlalji Arddhshatabdi Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMrugendramuni
PublisherMohanlalji Arddhashtabdi Smarak Granth Prakashan Samiti
Publication Year1964
Total Pages366
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy