SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ A) Jain Education International -- શ્રી ચારિત્ર વિ જ ય મહારાજશ્રીનાં સ્વપ્નાં જૂદાં હતાં. એમણે બન્નેને જૈનધર્મ પર આસ્થા રાખવા અને અહિંસાધમ નું પાલન કરવા સિવાય કાંઈ ન કહ્યું, કંઈ ન માગ્યું. આ નિઃસ્વાર્થતાએ તે ઉપર ઊડી અસર કરી અને તેમને આજીવન ભક્ત બનાવ્યા. હવે પાલીતાણામાં પ્લેગ શમી ગયા હતા. મેજરસ્ટ્રોંગ ઘેાડા દિવસ પહેલાં જ મહારાજશ્રીનાં દર્શન કરી ગયા હતા. પાઠશાળાને પાલીતાણા લઈ જવાના વિચાર નક્કી થયા. પણ મુનિજીને લાગ્યું કે, `સ્થા ત્યાં જાય તે પહેલાં સંસ્થાના મકાન માટે જમીનની વ્યવસ્થા થઈ જાય તે વધુ સારું. નિશ્ચય કરવાની જરુર હતી, તે થઈ ગયા. બીજે દિવસે મુનિજીએ કમર કસી. મેજર સ્ટ્રોંગ ગેાપનાથ ગયા હતા. મુનિજી ગાપનાથ જઈ પહેાંચ્યા. મુનિજીને અચાનક આવેલા જોઈ મેજર સ્ટ્રાંગે નમ્રભાવે કહ્યું : 'મહારાજશ્રી! પહેલાં સૂચના તે કરવી હતી ! કંઈ વાહન મેાકલત !' · જૈન સાધુને પેાતાના એ પગ સિવાય બીજું કાઈ વાહન કામ ન આવે !' મુનિજીએ જૈન સાધુઓના ધર્મ સમજાવ્યેા. તેમના નિયમાનું સ્વરૂપ સમજાવ્યું. મેજર સ્ટ્રોંગ આ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. એને તે આ બધું તદ્દન અવનવું જ લાગ્યું. સંસાર સાથે કશેય સ્વાર્થ નહિ, શરીરધર્મનું પણ આટલું કઠેર નિયમન, છતાંય આ સાધુ આટલી સેવા અને શ્રમ કરે! એ વાતે મેજર સ્ટ્રાંગની ભક્તિમાં વધારા કર્યાં. એણે કઈ પણ આજ્ઞા હાય તે। કમાવવા કહ્યુ. મુનિજીએ સંસ્થા માટે જમીનની માગણી રજૂ કરી. વારું ! સસ્થાને જોઈશે તેટલી જમીન અપાવવાની વ્યવસ્થા કરી આપીશ.’ મેજરે હસતાં જવાખ વાળ્યા. મુનિજી આશીર્વાદ આપી પાછા ફર્યાં. સંસ્થા પાલીતાણે આવી. આ વેળા આસમાન બિલ્ડીંગમાં વિદ્યાર્થીઓ રહેતા હતા. એટલામાં મકાન માલેક અને રાજ્ય વચ્ચે મકાનની માલિકી અંગે ઝગડા પેદા થયા. આ ઝઘડા થાડી st ForPersonal &Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy