SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ i3V શ્રી ચારિત્ર વિજય વાસીઓને મેટો ભાગ નિરાંતે નિદ્રા લેતે હતે. જાગતાં હતાં તેમને બહાર નીકળી તપાસ કરવાનીય હિંમત નહોતી. પણ એટલામાં પાણીના લોઢ ઘરમાં પેઠા ને ખાટલા-પલંગ સાથે માનવીઓને અને ખીલા સાથે જનાવરેને ખેંચ્યા. મૂળ સાથે ઝાડને જમીનદોસ્ત કરી વહાવ્યાં. પાલીતાણાની શેરીઓ બેબે ગળાબૂડ પાણીમાં ગઈ થઈ ગઈ. શહેર અદશ્ય થયું ને મહાસાગર હિલેાળા દેવા લાગ્યો. રાત્રિની ભયંકરતા વિષમ હતી. તણાતાં ડૂબતાં ઢોર અને માનવીઓના ચિત્કાર સિવાય કંઈ દેખાતું કે સંભળાતું નહોતું. આ વેળા સમાન બિલ્ડીંગમાં શ્રી યશોવિજયજી જૈન પાઠશાળાના વિદ્યાર્થીઓ શાન્ત નિદ્રા લઈ રહ્યા હતા. મુનિરાજ પણ પિતાના સ્થાને નિદ્રા લઈ રહ્યા હતા. આવતા ભયની કેઈને જરાય આગાહી નહોતી! એટલામાં મકાનની દિવાલ સાથે અફળાતા પાણુના લઢને અવાજ વધુ ઉગ્ર બન્યો ને તણાતા માણસની અને જનાવરની ભયંકર ચીસે કાને અથડાઈ. મુનિજી સફાળા જાગી ઉઠયા. મકાનના રેવેશ આગળ આવી પહોંચ્યા. ક્ષણવારમાં નજર સામેની ભયંકર પરિસ્થિતિ પરખી લીધી. મહારૂદ્ર જલદેવતાનું સ્વરૂપ ધારણ કરીને સંહાર કરવા નીકળ્યા હોય તેમ પાણીના મોટા લોઢ વચ્ચે માનવીઓ ગડલા ખાઈ રહ્યાં હતાં. મૃત્યુની કરાલ દાઢમાં ફસાયેલાં એ પ્રાણીઓની બૂમે ગમે તેવા પાષાણ હૃદયને પીગળાવી દે તેવી હતી. મુનિજીના દયાપૂર્ણ હૃદયમાં અજબ મને મંથન ખડું થઈ ગયું. ક્ષણવારમાં અંતઃકરણમાંથી તેમને સવૃત્તિના કર્તવ્યની હાકલ સંભળાઈ. કટોકટીની પળ હતી. વિદ્યાર્થીઓ, શિક્ષકો ને નોકરચાકરે પણ જાગ્રત થઈ ગયા હતા. સહુ આ ભયંકર આપત્તિને સામે ઉભેલી જોઈ કિંકર્તવ્યમૂઢ બની ગયા હતા. મુનિજીએ ક્ષણવારમાં સૌને સાવધ કર્યા ને તેમની ફરજનું ભાન કરાવ્યું. હવે એક ક્ષણનો પણ વિલંબ ખપતે નથી એ વાત બરાબર સમજાવી. એ દિવસે સવારમાં બનારસથી શ્રી યશોવિજય જૈન ગ્રંથમાલાનાં પુસ્તકોની મોટી પેટીઓ આવેલી. એના ઉપર S Goz છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.012076
Book TitleCharitravijay Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorBalabhai Virchand Desai
PublisherCharitra Smarak Granthmala
Publication Year1936
Total Pages230
LanguageGujarati
ClassificationSmruti_Granth
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy