SearchBrowseAboutContactDonate
Page Preview
Page 484
Loading...
Download File
Download File
Page Text
________________ विषय खंड આજનો જૈન અને ગૃહસ્થ ધર્મ ३६३ સમાજના, દેશના, અરે ! વિક સમસ્તના દ્રોહી-જીવતા શત્રુ સમાન છે. આ ગૃહસ્થ ધર્મનું પહેલું વ્રત “સ્થલ પ્રાણાતિપાત વિરમણ' ના નામથી ઓળખાય છે. અને આ નિયમને જાણનાર જીવહિંસાદિ કાર્યોથી જરૂર પોતાના આત્માને અભડાવશે નહિ જ. બીજું વ્રત છે, “સ્થૂલ મૃષાવાદ વિરમણ મૃષાવાદ એટલે જુઠાણું. એક કવિ કહી ગયેલ છે. “એક અસત્યથી જન્મ, અસત્ય બહુ જુજવાં, રોપે અસત્ય એ તેને, પડે એ ઝુંડ વેઠવાં એક વખત અસત્ય બોલ્યા પછી તેના પ્રતિપાદન માટે અનેક પ્રકારનાં અસત્યો ઉત્પન્ન કરી પિતાને–બીજાને અને સમાજ આખાને મુશ્કેલી ઉભી કરનાર થવું પડે છે. “સત્ય બેલો” એ જુગજુનું સૂત્ર અક્ષર જ્ઞાન લેતા બાળકથી માંડી એક ગૃહસ્થીની જીવન મર્યાદા સુધીમાં ફરી ફરીને સૂચનારૂપે કહેવું પડે છે. અનેક સમય પોતાનું જુઠાણું છુપાવવા આત્મા અનેક પ્રકારના દોષને લપ કરે જાય છે. એ લેપ નીચે ઢંકાયેલ આત્માની અધોગતિ થાય છે. એ જુઠાણું પાછળ છળ, કપટ, દગો, પ્રપંચ, અભિમાન, અનાચાર આદિ અનેક દુર્ગણોની આવલી ઉત્પન્ન થાય અને તે આ અવગુણને વધુને વધુ પિષણ મળે. પરિણામે પ્રેમ ભાવના નષ્ટ થાય. સમાજમાં જ્યાં ત્યાં હડધૂત જીવન જીવતાં આત્મા આ ભવ પૂર્ણ કરી નરકા, બાંધે છે. શાસ્ત્રમાં કન્યા ઢેર, ભૂમિ, થાપણ ઓળવવી અને બેટી સાક્ષી એ પાંચ પ્રકારનાં મહાન જુઠાણાં વર્ણવ્યાં છે તેમાં ભાગ ન લેવા સાચા શ્રાવકને આ સૂચન કરવામાં આવે છે. સ્થૂલ અદત્તાદાન વિરમણ એ પણ મહાવ્રતનો ત્રીજો પ્રકાર છે. કેઈની વસ્તુ પર માલીકે આપ્યા વિના માલીકીપણાને દ કર એ સમાજમાં પણ ગુન્હો ગણાય છે. તણખલું ન ચેરે બાવો બ્રહ્મચારી એવી વાણી ઉચારનાર આજના જૈન ગણાતાકહેવાતા અનેક ગૃહસ્થ પ્રત્યે શાસ્ત્ર ફરમાનની આ એક ચીમકી છે. દીધા વિના વસ્તુ લેવી એટલે જ ચોરી કરવી. ખીસાં કાતરવાં, લુંટફાટ ચલાવવી કે બળજરીથી આંચકી લેવું. ઓછું વધતું વજન આપવું લેવું. સેળભેળ, છેતરપીંડી આદિ અનેક પ્રકારે આજની દુનિયા આ વ્રતને ભંગ કરી રહી છે. દૂધ, ઘી, તેલ અને સામાન્ય પદાર્થોમાં ભેળસેળ કરી જગતને છેતરવાના, અહીં પાપનો ઘડો પુટતાં રાજ્યની એરણ પર દંડ ટીપાયાના અનેક દાખલાઓ આજના વર્તમાનપત્રોમાં વાંચવા મળે છે એ પણ એક પ્રકારની શાહકારી ચોરી જ છે, બીજું શું છે? શાસ્ત્રમાં આ નિયમમાં કટિબદ્ધ રહેવા પાંચ પ્રકારનાં અદત્તાદાન છેડવાની સલાહ આપે છે. બ્રહ્મચર્ય વ્રત એ તંદુરસ્તી અને ખડતલ જીવનનો મહાન ઉપાય છે. જૈન શાસ્ત્ર પિતાની સ્ત્રીમાં જ સંતોષ રાખી અન્ય પ્રકાર શિયળવ્રતનું ખંડન ન કરવા ગૃહથીને સૂચવે છે. સર્વથા સ્ત્રી ત્યાજ્ય ગણનાર કેઈ વિરલ વ્યકિત જગતમાં હોય. પણ છતાં “નારી નરકની ખાણુ” વાક્યને હદયમાં કેતરી રાખનાર માનવ સ્વભ્રામાં જ સંતોષ માની વિધવા, વેશ્યા, કુમારિકા કે અન્ય સ્ત્રીમાં રમણ કરવાની ભાવના સરખી પણ નહિ લાવે. સમાજ પણ આવા માનવ પ્રત્યે ધિક્કારથી જુએ છે. પૈસા આબરૂ અને Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.012074
Book TitleYatindrasuri Abhinandan Granth
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherSaudharmbruhat Tapagacchiya Shwetambar Shree Sangh
Publication Year
Total Pages502
LanguageHindi
ClassificationSmruti_Granth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy