SearchBrowseAboutContactDonate
Page Preview
Page 197
Loading...
Download File
Download File
Page Text
________________ આચાર્ય વિજયવલ્લભસૂરિ સ્મારક ગ્રંથ આ રીતે ચૈત્યવંદન એટલે, ચૈત્યમાં વંદન કરતી વખતે ગવાતાં પદો, આ પ્રકારમાં કવચિત્ સ્થળમાહાત્મ્ય પણ આવતું. મૂળા નામનાં કવિએ એનાં ચૈત્યવન્દનમાં બધા દેવની વંદના કરીને અંતે કહ્યું છે કેઃ કલસ છન્નુએ જિનવર છન્નુએ જિનવર સાસય અર્ધી ઊર્ધ્વ તે લોક તીઅે જાણું એ અસાસય જૈન પરિમા, તે સર્વે વખાણ્યું એ ગચ્છ વિધિપક્ષ પૂજ્ય પરગટ, શ્રી ધર્મમૂર્તિ સરિંદું એ વાચક મૂલા કહે ભણુતાં ત્રદ્ધિ, વૃદ્ધિ આણંદું એ ૪ અહીં કાવ્યના શીર્ષકમાં જે કળશ છે, તે સ્નાનપૂજામાં જે કળશ આવે છે તે નહિ, પણ ‘કળશ’ એ ઢાળનું કે કાવ્યમાં વપરાતી દેશીનું નામ હતું તે છે. જ્યારે સ્નાત્રપૂજાના ગીતને જે કળશ નામ આપવામાં આવે છે. તે સ્નાત્રપૂજામાં વપરાતા કળશને લઈ ને હોવું જોઇએ. ચૈત્યવંદન જેવો જ મંદિરની જોડે સંકળાયેલો અને મંદિરની જરૂરિયાતમાંથી ઉદ્ભવેલો પદપ્રકાર એ ‘ સ્નાત્રપૂજા’ વા ‘કળશ'નો છે. દેવને સ્નાન કરાવતી વખતે અને પુષ્પ ચઢાવતી વખતે ‘સ્નાત્રપ્રજા’ કે ‘કળશ'નાં પદો ગવાતાં. આ પદોમાં સ્નાનનો સ્પષ્ટ ઉલ્લેખ આવતો. પવિત્ર ઉદક લેઈ અંગ પખાળી, વિવિધ વસ્ત્ર નવ ચિરમાળા કુસુમાંજલિ મહેલો આદિ જિગુંદા, તોરા ચરણુકમળ સેવે ચોસ. જિણુંદા Jain Education International X સરસ સેવંતરિ માલતીમાલા, ગુણ ગાવે મિ કવિય દેવાલા, ઋષભ અજિત સંભવ ગુણ ગાઉં, અનંત ચોવીશી જિનની ઓળગ પાઉં, મહેલો વીરજિદા, કુસુમાંજલિ તોરા ચરણકમળ સેવે ચોસઠ ઈદા —કુસુમાંજલિ અહીં પ્રથમ પંક્તિમાં અંગપ્રક્ષાલનનો અને દ્વિતીય પક્તિમાં કુસુમાર્પણનો ઉલ્લેખ આવે છે. બીજા એક સ્નાત્રપૂજાનાં પદમાં કહ્યું છેઃ નિર્મળ જળ કળશે નવડાવે વસ્ત્ર અમુલખ અંગ ધરાવે કુસુમાંજલિ મેલો આદિ જિણુંદા સિદ્ધ સ્વરૂપી અંગ પુંખાળી આતમનિર્મળ દૂઈ સુકુમાલિ —કુસુમાંજલિ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012060
Book TitleVijay Vvallabhsuri Smarak Granth
Original Sutra AuthorN/A
AuthorMahavir Jain Vidyalaya Mumbai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1956
Total Pages756
LanguageHindi, Gujarati, English
ClassificationSmruti_Granth & Articles
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy