SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૭ આ યુગનું ભગીરથ કામ મહાવદ પાંચમે સવારે અનેક વાજિંત્રના મંગળનાદ સાથે સંઘ ગિરિરાજ ચઢવો શરૂ કર્યો. દેઢ માસના પ્રવાસનું ધ્યેય આજે પૂરું થતું હતું. એથી હર્ષમાં આવીને યાત્રિકે મધુરગંભીર અવાજે ગિરિરાજની સ્તવનાના ગીત લલકારતાં ચઢી રહ્યા હતાં. હજારો યાત્રિકોના સ્તુતિ-સ્વરને લીધે ગિરિરાજ જાણે શબ્દાદ્વૈતમય બની ગયો હતો, અને સાધુ-સાધ્વી-શ્રાવકશ્રાવિકારૂપ ચતુર્વિધ સંઘને પિતાના પવિત્ર રજકણેનો સ્પર્શ કરાવવા દ્વારા જાણે પવિત્ર બનાવતો હતો. હોંશે હોંશે ગિરિરાજનું ચઢાણ પૂરું કરીને સૌ દાદાના દરબારમાં પહોંચ્યા. વીસ હજારની મેદનીને લીધે દાદાના દરબારે જાણે માનવ-સમુદ્રનું સ્વરૂપ ધારણ કર્યું હોય તેમ ભાસતું હતું. આ વખતે પ્રથમ પૂજાને લાભ મુગટ ચડાવનાર પુણ્યાત્મા ફતેહચંદ પ્રેમચંદે લઈને દાદાના મસ્તકે હીરા-રને મઢેલો મુગટ ચડા. હજારે નેત્રે આતુર–નયને આ દશ્ય જોઈ રહ્યા હતા. મુગટ ચલ્યા બાદ દાદાનું અલૌકિક તેજ નિહાળીને સૌ કેઈના મુખમાંથી ગગનભેદી જયનાદ નીકળી રહ્યાં. બીજા ભાવિકોએ પણ તે તે આભૂષણે ચડાવ્યા. શિખર તથા ઘુમટીઓ ઉપર કલશની પ્રતિષ્ઠા પણ પૂજ્યશ્રીના વિશુદ્ધ મંત્રોચ્ચાર અને વાસક્ષેપપુર સર કરવામાં આવી. આ પછી સમસ્ત સંઘે દયાળુ દાદાને અનેરા ભાવથી પૂજ્યા-જુહાર્યા. પછી-દાદાના સુવિશાળ દરબારમાં (નાત્રમંડપમાં) પૂજ્યશ્રીએ અગણ્ય જનસમૂહની હાજરીમાં સંઘવીજી તથા સંઘવણ શેઠાણ શ્રીસૌભાગ્યલક્ષ્મી બેન વગેરેને વિધિપૂર્વક તીર્થમાળા પહેરાવી. એ અવસરે સંઘવીજીએ હર્ષપુલકિત હૈયે દયાળુ દાદાને કંઠે રૂ. પચાસ હજારની કિંમતને રત્નખચિત હાર પહેરાવ્યું. પૂજ્યશ્રીએ આપેલી પ્રસંગચિત અને ભાવત્પાદક ધર્મદેશના સાંભળ્યા પછી સૌ નીચે મનસુખનગરમાં આવી ગયા. સૌના મુખ પર કાંઈક પામ્યાને સંતોષ તરવરતે હતો. પાલિતાણાથી સંઘ ગિરિરાજની બાર ગાઉની પ્રદક્ષિણા કરવા ગયે. હસ્તગિરિ–કદંબગિરિની યાત્રા કરીને પુન: પાલિતાણા આવ્યો, અને પૂજ્યશ્રી આદિ મુનિવરે કદંબગિરિમાં શેકાયા. સંઘ પુનઃ પાલિતાણમાં આવ્યા પછી અનેક સંસ્થાઓએ સંઘવીજીને માનપત્ર આપ્યાં. યશેવિયજી જૈન ગુરુકુલ તથા પાલિતાણા-મહાજને શ્રીદિવાનસાહેબના પ્રમુખપદે માનપત્ર આપ્યાં. સંઘવીએ સર્વત્ર ઉદાર રકમનું દાન જાહેર કર્યું. અને મહાવદિ દશમના દિવસે તેઓએ મોટર દ્વારા અમદાવાદ ભણી પ્રયાણ કર્યું. દેઢ માસ સુધી ચાલેલા આ યાત્રા સંઘ જે જે રાજ્યમાં ગયો, તે ત રાજે એક દિવસ, એક મહિના કે તેથી ઓછાવત્તા દિવસો અમારિ પાળવાનું જાહેર કર્યું હતું. સંઘ જ્યાં જ્યાં જતે, ત્યાં હજારોની સંખ્યામાં જનસમૂહ દર્શનાર્થે ઉમટતે. લીંબડી, જુનાગઢ, પાલિતાણા વગેરે સ્થળોએ તો એ માટે સ્પેશ્યલ ટ્રેઈને દોડાવાઈ હતી. હંમેશાં જુદાં જુદાં ગૃહસ્થ તરફથી નવકારશીઓ થતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy