SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ શાસનસમ્રાટ્ આવી ચડેલા શેઠશ્રી સારાભાઇ ડાહ્યાભાઇને પૂજ્યશ્રીએ સૂચના કરી કે-તેમના પગમાંથી ખૂટ કાઢી નાખેા. સારાભાઈ તેમ કરવા ગયા, તા કમિશ્નરે કહ્યું કે : હું હેટ (hat) ઉતારીને આવ્યો છું. હવે બૂટ કાઢવાની જરૂર નથી. આ સાંભળીને પૂજયશ્રીએ કહ્યું “જે ધર્માંસ્થાનમાં જઈએ તેની મર્યાદા જાળવવી જ જોઇએ. તમારા ચ'માં કઈ હેટ પહેરીને આવે તે તમે તેને અંદર જવા દે! ખરા ?'' કમિશ્નરે પણ જાણે આજે પૂજ્યશ્રીની બુદ્ધિમત્તા જોવા જ આવ્યા હોય તેમ જવાખ આપ્યા કે : “હા ! હું તેા તેને જરૂર જવા દઉં. ના પાડું જ નહિ.' તરત જ પૂજ્યશ્રી ઓલ્યા : હું નથી માનતા કે તમે તમારા ચર્ચમાં હેટ પહેરીને આવે તેને જવા દો. છતાં એકવાર માની લ્યે કે હેટ પહેરીને આવનારને પણ તમે ચČમાં જવા દો, પણ આવનાર વ્યકિત જો સભ્ય હોય તે તે સામા ધસ્થાનની મર્યાદાને માન આપીને જ આવે.” આ સાંભળતાં જ હજી સુધી ઉંંખરા વચ્ચે ઊભા રહેલા કમિશ્નરે પાતાના કાન પડી– all Right ખેલીને પોતાની મેળે જ બૂટ કાઢી નાખ્યા. પછી અંદર આવી, પગે લાગીને પૂજ્યશ્રી પાસે બેઠા. કમિશ્નરના પૂજ્યશ્રી પાસે આવવાના ઇરાદો એ હતા કે-દેશમાં જ્યારે ગાંધીજી વગેરે નેતાએ બ્રિટિશ ગવનમેન્ટ સામે સત્યાગ્રહાદ્વિ કરી રહ્યા હતા, ત્યારે આવા-વિશાળ જૈન સંઘના નેતા-ધ ગુરૂના તે માટે શું અભિપ્રાય છે, તે જાણી લેવા. જે તેએ ગાંધીજીની વિરૂદ્ધમાં હાય તે। આ રીતે તેમના વિચાર જાણી લેવા. આમ કરવાથી ગુરૂવચનને અનુસરનારી મહાન્ જૈન કામના ટેકા સરકારને મળે. બ્રિટિશ સરકાર સદૈવ સજાગ રહેતી. દેશના-પ્રાંતના કે શહેરના કયા ખૂણે શુ' ખની રહ્યું છે ? અને કયાં કેવી પ્રતિભાશાળી વ્યક્તિ છે? તેની માહિતી સરકાર સદા મેળવતી રહેતી. એથી જ કમિશ્નર પૂજ્યશ્રી પાસે આવ્યા હતા. તેમણે સૌ પ્રથમ પ્રશ્ન કર્યો : “મે સાંભળ્યુ છે કે આપ ગાંધીજીની વિરુદ્ધ છે?' પ્રશ્ન ગંભીર હતા. પૂજ્યશ્રીએ પણ ગભીરતાથી એનેા ઉત્તર આપતાં કહ્યું : “કોઈ ને પણ અવર્ણવાદ ન ખેલવા, એ અમારા સામાન્ય ધર્મ છે. તેમાંય રાજા કે દેશનેતાને અવણુ - વાદ કે વિરોધ અમારે હાય જ નહિ. ફકત અમારા ધર્મસિદ્ધાન્તના વિરોધી વિચારમાં અમારે વિરાધ થાય, તે તે સ્વાભાવિક છે. બાકી તમારી (બ્રિટિશ-સરકારની) નેાકરશાહી સારી છે, એટલે અમારા વિરાધ છે, એવું નથી.” “શું કાઈ રાજા જુલ્મી હાય, ધમ ના નાશક હાય, તા તેના પણ અવર્ણવાદ તમે ન એલે ? તેના વિરોધ પણ ન કરો ?” કમિશ્નરે નવા પ્રશ્ન કર્યાં. : પૂજ્યશ્રીએ કહ્યું : “જ્યાં લો (Law) હોય ત્યાં એકસેપ્શન (exception) હોય જ. ઉત્સર્ગ હોય ત્યાં અપવાદ હાય જ. અને એકસેપ્શન વિના લો કદી પણ જીવી શકે જ નહિ.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy