SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ [૩૪] તીર્થરક્ષાના આધાર-શાસનસમ્રા અભિનવ પંન્યાસ-શિષ્યરત્નાદિ પરિવાર સાથે પૂજ્યશ્રીમાન કપડવંજથી વિહરીને અમદાવાદ પધાર્યા. શેઠશ્રી માણેકલાલભાઈના લગ્નપ્રસંગે પ૧ છેડનો ઉદ્યાપન-મહત્સવ તેઓશ્રીની નિશ્રામાં ભારે ઠાઠથી ઉજવાયો. - આ વખતે પૂજ્યશ્રીના અજોડ અને અનુપમ વિદ્વાન્ શિષ્યરત્ન પ્રવર્તક મુનિશ્રી યશવિજયજી મહારાજ આદિ મુનિરાજે સં. ૧૬૯નું ચાતુર્માસ ખેડામાં બિરાજમાન હતા. શ્રીયશવિજયજી મ.ને છેલ્લા કેટલાક સમયથી જીર્ણજવરને ઉપદ્રવ રહેતું હતું. અને એમાંથી તેમને ક્ષયને વ્યાધિ લાગુ પડ્યો હતો. એના ઉપચાર તે વખતના પચ્છેગામના ખ્યાતનામ વિદ્યરાજશ્રી ઈશ્વર ભટ્ટ-કે જેઓ સાધુ-સાધ્વીઓને વિજય પ્રશસ્તિ મહાકાવ્ય વગેરે જૈન સંસ્કૃત કાવ્યગ્રન્થનું અધ્યાપન પણ વિશદતયા કરાવતા હતા–તેઓ કરતા હતા. પણ રાજરોગ ગણાતે એ વ્યાધિ કાબૂમાં આવવાને બદલે વધતે જતો હતો, તેથી મુનિશ્રીની શારીરિક અવસ્થા ગંભીર બનતી જતી હતી. તેમની ભાવના હતી કે –“મારે પૂ. ગુરૂમહારાજશ્રીજીના દર્શન કરવા છે.” પૂજ્યશ્રીએ પં. શ્રીપ્રતાપવિજયજી ગણિવરાદિ મુનિવરને પ્રથમથી જ ખેડા મોકલી આપ્યા હતા. તેઓ તેમની ખડેપગે સારવાર અને શુશ્રષા કરતા હતા. તેમને લાગ્યું કે તબીયત ગંભીર થતી જાય છે, એટલે તેમણે પૂજ્યશ્રીને કહેવરાવ્યું કે શ્રીયશોવિજયજી મ. ની તબીયત વિશેષ અસ્વસ્થ બનતી જાય છે. જેમ ગૌતમસ્વામી મહારાજ શ્રી મહાવીર પ્રભુને સ્મરતા હતા, તે જ પ્રમાણે યશવિજયજી મ. આપશ્રીનું સ્મરણ કરી રહ્યા છે, માટે આપશ્રી અહીં પધારે. આ સમાચાર મળતાં તુર્ત જ પૂજ્યશ્રીએ મુનિશ્રી વિજ્ઞાનવિજયજી મ. ને સાથે લઈને ખેડા તરફ વિહાર કર્યો. શેઠશ્રી પ્રતાપસીંહ મેહેલાલભાઈ આદિ શ્રેષ્ઠિવરે મટર દ્વારા ખેડા ગયા. ત્યાં તેમણે પૂજ્યશ્રી પધારી રહ્યાના સમાચાર આપ્યા. એ સાંભળીને શ્રીયશોવિજયજી મને પરમસતેષ થયા. પણ તેમની તબીયત હવે વધુ ને વધુ અસ્વસ્થ બનતી ચાલી. વૈદ્યરાજે – ડોકટરે પોતપોતાના ઉપચારે કરવામાં, અને તબિયતને કાબૂમાં લેવામાં તલ્લીન હતા. પણ મુનિશ્રીને પિતાને જ જાણે ભાસ થયે હેય, તેમ તેઓ એકાએક સૌના આશ્ચર્ય વચ્ચે સંથારામાં બેઠા થયા. ડોક્ટર-વૈદ્યને દૂર કર્યા. પલાંઠી વાળી, ટટાર બેસીને પંન્યાસજી મને કહ્યું કેઃ તમે મને મહાવ્રત–આલાપક સંભળાવો.” પંન્યાસશ્રીએ પણ તરત જ આલાપક–આલાવા બેલવા શરૂ કર્યા. તેઓ મૂળપાઠ બોલતા જાય, અને શ્રીયશોવિજયજી મ. તેને સ્પષ્ટ અર્થ કરતા જાય. આવી અસ્વસ્થ તબીયતમાં પણ આવી અપૂર્વ સમાધિ અને આત્મરમણતા એ ખરેખર, પંડિતલભ્ય જ છે. આલાવાનું ઉચ્ચારણ ચાલુ હતું. સકળસંઘ ત્યાં હાજર હતે. સૌ કઈ સ્તબ્ધ બનીને ખડા હતા. પંન્યાસજી મ. છેલ્લે આલા પૂર્વવત્ ધીમે ધીમે બોલતા હતા, તે વખતે મુનિરાજશ્રીએ તેમને સૂચના કરી કે ” હવે જલ્દી કરે. વધારે સમય નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy