SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ જીવદયાના જ્યોતિર્ધર ૯૭ ચોમાસા બાદ શેઠ શ્રી હીરાભાઈ ચકુભાઈ તરફથી શ્રીસિદ્ધાચલજી મહાતીર્થને છ કરી પાળતે સંઘ પૂજ્યશ્રીમાની નિશ્રામાં નીકળે. પાલિતાણા પહોંચી, તીર્થયાત્રા કરીને શ્રીસંઘ સ્વસ્થાને ગયે. પૂજ્યશ્રીએ પાલિતાણામાં થોડા દિવસ માટે સ્થિરતા કરી. દરમિયાન પૂજ્યશ્રીના શિષ્યરત્ન પૂ. મુનિશ્રી દર્શનવિજ્યજી મ. મુનિશ્રી પ્રતાપવિજયજી મ. મુનિશ્રી ઉદયવિજયજી મ. વગેરે મુનિવરોએ ચૌવિહાર છઠ્ઠ કરવા પૂર્વક ગિરિરાજની સાત યાત્રા કરી. પાલિતાણાથી વિહાર કરી પૂજ્યશ્રી મહુવા પધાર્યા. અહીં તેઓ શ્રીમાનના ઉપદેશથી શ્રીનરોત્તમદાસ ઠાકરશી નામના એક વૈષ્ણવ ગૃહસ્થને પ્રતિબોધ થયો. માની નજીકમાં દરિયા કાંઠે આવેલા “નૈપ” ગામના તેઓ વતની હતા. તેઓ પૂજ્યશ્રીને પિતાના ગામે લઈ ગયા, અને ત્યાં નાણ મંડાવીને શ્રી સમ્યકત્વ સહિત શ્રાવક-ધર્મ અંગીકાર કર્યો. અહીં દરિયાકાંઠે માછીમારો માછલાં પકડતા અને ખૂબ જીવ-હિંસા કરતા. પૂજ્યશ્રીએ એ વાત જાણી. જીવ-દયામય શ્રીજિનશાસનના નાયક પૂ. આચાર્યદેવથી આવી ભયંકર જીવહિંસા શું જોઈ જાય? તેઓશ્રી આ હિંસાને અટકાવવા માટે શ્રીનરોત્તમદાસને સાથે લઈને દરિયા-કિનારે પધાર્યા. ત્યાં નિત્ય-નિયમ પ્રમાણે અનેક માછીમારો જાળ વડે સેંકડે ને હજારેની સંખ્યામાં માછલાં પકડી રહ્યા હતા. તેઓ ખૂબ અજ્ઞાન હતા. પણ સાથે ભેળાં પણ એટલા જ હતા. તેઓ આવા દેવપુરૂષ જેવા સાધુભગવંતને પિતાની પાસે આવેલા જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. અને પોતાના કાર્ય છોડી દઈને તરત જ પૂજ્યશ્રીના દર્શન કરવા એકત્ર થઈ ગયા. - પૂજ્યશ્રીએ પણ-જેમ શ્રીવૃદ્ધવાદિસૂરીશ્વરજી મહારાજે શ્રી કુમુદચંદ્ર પંડિત (શ્રીસિદ્ધસેન દિવાકરસૂરિ મ) સાથેના વાદવિવાદમાં “નવિ મારિયઈ નવિ ચેરિયઇ.” ઈત્યાદિ બોધવચનો કહીને મધ્યસ્થ બનેલા ગામના અબુઝ ખેડૂતોને પ્રતિબંધ પમાડ્યા હતા, તે જ પ્રમાણે આ ભેળાં માછીમારો સમજે એવી સરળ ભાષામાં દયાધર્મને ઉપદેશ આપે-મહિમા સમજાવ્યું, અને જીવહિંસાથી થતું નુકશાન પણ સમજાવ્યું. દેવપુરૂષ જેવા મહાત્મા પિતાના આંગણે પધાર્યા, અને તેઓએ પિતાનું કલ્યાણ કરે એવી વાત કહી, એથી પેલાં ભદ્ર ધીવર ખૂબ પ્રભાવિત બન્યા. પૂજ્યશ્રીની સમીપે પિતાના આજ પર્યન્તના પાપને એકરાર–પસ્તાવો કરતાં કરતાં તેમણે તે જ ક્ષણે માછલાં ન પકડવાની અને જીવહિંસા ન કરવાની પ્રતિજ્ઞા લીધી. આથી અગણ્ય જીને અભયદાન મળ્યું. આ મહાન લાભ જોઈને નરોત્તમદાસને ઉત્સાહ વળે. તેમણે માછીમારો પાસેથી જાળે લઈ લીધી. માછીઓએ પણ એ જળ હવે પિતાને ઉપયોગી નહોતી, માટે રાજી ખુશીથી આપી દીધી મિપ ગામથી વિહાર કરીને પૂજ્યશ્રી દરિયાકાંઠે આવેલા વાલાક અને કંઠાલ પ્રદેશના વાલર, તલ્લી, ઝાંઝમેર વિગેરે અનેક ગામમાં વિચર્યા, અને ત્યાં વસતા સેંકડો માછીઓને પ્રતિબંધ પમાડીને અગણિત જીવોની હિંસા કાયમ માટે અટકાવી. માછીઓને મહાભયંકર ૧૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.012056
Book TitleShasana Samrat Nemisuriji
Original Sutra AuthorN/A
AuthorShilchandrasuri
PublisherJindas Dharmadas Dharmik Trust Kadambgiri
Publication Year1973
Total Pages478
LanguageGujarati, Hindi
ClassificationSmruti_Granth & Articles
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy